નવી દિલ્હી : PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી માલદીવ માટે મોંઘી પડી રહી છે. હાલમાં જ મળતી માહિતી અનુસાર ભારત સરકારે માલદીવના હાઈ કમિશનને સમન્સ પાઠવ્યું છે. થોડા સમય પહેલા જ માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહિબ ભારતીય વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ત્યારે ભારતીય ટ્રાવેલ એજન્સીઓએ પણ માલદીવની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.
વિવાદ વકર્યો : તમને જણાવી દઈએ કે માલદીવની એક મહિલા પ્રધાન મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ વિવાદ સતત વધી રહ્યો છે. ભારતે આ મામલો માલદીવની મોહમ્મદ મુઈઝ્ઝુ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યારબાદ માલેમાં ભારતીય હાઈ કમિશનરે આ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી.
માલદીવ સરકારનો ખુલાસો : ભારતે આ મામલે વાંધો ઉઠાવ્યા બાદ માલદીવ સરકારે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ ટિપ્પણી સરકાર દ્વારા કરવામાં આવી નથી. આ એક મંત્રીનો અંગત અભિપ્રાય છે. માલદીવ સરકારને આ ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી. ગરમાગરમી ભર્યા મામલા બાદ માલદીવ સરકારે મંત્રી મરિયમ શિયુના સહિત ત્રણ મંત્રીઓને કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
શું છે વિવાદાસ્પદ કોમેન્ટનો મામલો ?ઉલ્લેખનીય છે કે, આ વિવાદ પીએમ મોદીના માલદીવ પ્રવાસ દરમિયાન શરૂ થયો હતો. પીએમ મોદીએ તેમના માલદીવ પ્રવાસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા ભારતવાસીઓને કહ્યું કે આ જગ્યા ખૂબ જ સુંદર છે. આ ટાપુની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જોકે બાદમાં માલદીવ સરકારના મંત્રી મરિયમ શિયુનાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો. આ મામલે ભારે હોહા થતા બાદમાં મંત્રીએ સોશિયલ મીડિયા પરથી પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
- Maldives impact of boycott: માલદીવને લઈને ટૂર ઑપરેટરોએ કહ્યું, હવે દેખાશે બહિષ્કારની અસર
- PM Modi : માલદીવના મંત્રીએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી, જાણો શું છે સમગ્ર મામલો