ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Fire Breaks Out IN Mumbai : 13 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, 7ના મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત - ફાયર વિભાગ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ

મુંબઈમાં 20 માળની ઈમારતમાં આગ (Fire Breaks Out IN Mumbai) લાગવાની ઘટના સામે આવી છે. આ આગને કકાબુમાં લેવા માટે 13 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી (Fire brigade vehicles reached spot) ગઈ છે.

મુંબઈની ઈમારતમાં ભીષણ આગ
મુંબઈની ઈમારતમાં ભીષણ આગ

By

Published : Jan 22, 2022, 9:19 AM IST

Updated : Jan 22, 2022, 11:27 AM IST

મુંબઈઃદેશની આર્થિક રાજધાની મુંબઈના તારદેવ વિસ્તારમાં મોટી આગ (Fire Breaks Out IN Mumbai) લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી (Fire brigade vehicles reached spot) ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ (Efforts to contain fire continue) છે.

ઘટનામાં 2 લોકોના મોતઅને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ 3 લેવલની આગ છે, જે ખૂબ જ વિકરાળ માનવામાં આવે છે. આ ઘટનામાં 7 લોકોના મોત અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત (More than 15 people were injured) થયા છે.

ઘટના સ્થળે 13થી વધુ ફાયર એન્જિન હાજર

ફાયર ફાઈટર દ્વારા આગને કાબુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે 13થી વધુ ફાયર એન્જિન હાજર છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયેલા છે.

ફાયર વિભાગ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ

ફાયર વિભાગ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ (Rescue work started by fire department) કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત 5 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ ઈમરજન્સીનો સામનો કરી શકાય. આ ઘટનાને કારણે આસપાસના લોકોનું ટોળું જોવા મળી રહ્યું છે.

ઈજાગ્રતોને હોસ્પિટલમાં ખસેડાયા

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. મળતી માહિતી મુજબ ઈજાગ્રતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 13થી વધુ ફાયર એન્જિન સ્થળ પર હાજર હતા અને એક એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર હતી જેથી કોઈ પણ ઈમરજન્સીનો સામનો કરી શકાય.

આ પણ વાંચો:

મુંબઇના અંધેરી પૂર્વની રોલ્ટા કંપનીમાં લાગી ભીષણ આગ

મુંબઈના એક મકાનમાં ભીષણ આગ, 9 લોકો દાઝ્યાં

Last Updated : Jan 22, 2022, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details