ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 9:27 PM IST

ETV Bharat / bharat

Madurai Train Fire Accident: મદુરાઈ પેસેન્જર ટ્રેનમાં આગ કેવી રીતે લાગી ? પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું ભયાનક દ્રશ્ય

મદુરાઈ ટૂરિસ્ટ ટ્રેનમાં આગ લાગવાની ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા. પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું કે બોગીમાં આગ કેવી રીતે લાગી. સીએમ સ્ટાલિને પરિવારના સભ્યો માટે વળતરની જાહેરાત કરી છે.

Etv Bharat
Etv Bharat

મદુરાઈ: મદુરાઈ જંક્શન રેલવે સ્ટેશનથી લગભગ 1 કિમી દૂર શનિવારે સવારે એક ટ્રેનમાં આગ લાગી હતી. આગ એક બોગીમાંથી બીજી બોગીમાં ફેલાઈ હતી. ઘણા લોકો સળગતી ટ્રેનમાંથી કૂદીને બચી ગયા હતા, જ્યારે કેટલાક ટ્રેનમાં જ ફસાઈ ગયા હતા. મદુરાઈના પ્રત્યક્ષદર્શી મન્નાનનું કહેવું છે કે પડોશના લોકોએ રેલ્વે મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગને કારણે તેઓ કોચની નજીક પણ પહોંચી શક્યા નહીં.

મહિલાઓની ચીસો સંભળાઈ: મન્નાને કહ્યું કે હું તે જગ્યાની નજીક રહું છું જ્યાં ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ લાગી ત્યારે મહિલાઓની ચીસો સંભળાઈ હતી. આ કારણે તે ઊંઠી ગયો અને ત્યાં પહોંચી ગયો. લોકો સળગતી ટ્રેનમાંથી કૂદી રહ્યા હતા. કેટલાક લોકોએ નજીકના એસએસ કોલોની ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક લોકો સાથે મળીને અમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી. તેણે કહ્યું કે સળગતી આગને કારણે અમે ટ્રેનની નજીક પણ જઈ શક્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે સ્લીપર કોચની ઉપરની બર્થ પર મોટાભાગના લોકો આગની લપેટમાં આવી ગયા હતા. રેલવે વિભાગ, પોલીસ અને ફાયર વિભાગના તમામ લોકો આવી પહોંચ્યા હતા.

90 ટકા લોકોનો બચાવ: દુર્ઘટનાનું કારણ જ્વલનશીલ સામગ્રી લાવવાનું ગણાવતા, મન્નાને કહ્યું કે 90 ટકા લોકો નીચે ઉતરી ગયા અને માત્ર 10 ટકા જ ફસાયેલા રહી ગયા. આ આગમાં ઉત્તર પ્રદેશના એક મુસાફર શિવ પ્રતાપ સિંહ ચૌહાણે પોતાની પત્ની અને વહુને ગુમાવ્યા હતા. તે સરકારને તેના સંબંધીઓને ઓળખવામાં મદદ કરવા વિનંતી કરતો જોવા મળ્યો હતો. દુખ વ્યક્ત કરતાં તેણે કહ્યું કે તેણે 5 લોકોને સળગતી આગમાંથી બચાવવા માટે સંઘર્ષ કર્યો, પરંતુ તેની પત્ની મિથિલેશ કુમારી અને સાળા શત્રુકન સિંહને બચાવી શક્યા નહીં. તેણે એમ પણ કહ્યું કે ભારે ધુમાડાને કારણે તે બેહોશ થઈ ગયો અને શ્વાસ લઈ શકતો ન હતો.

ટ્રાવેલ્સ નામની કંપની સામે ફરિયાદ:અકસ્માત સ્થળે મદદ કરી રહેલા ચેલ્લાદુરાઈએ ETV ભારત સાથે વાત કરી. બચી ગયેલા લોકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આ પ્રવાસનું આયોજન કરનાર બેસિન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની કંપનીએ ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી હતી. આ લોકો 16 કિલો વજનના 2 સિલિન્ડર લાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે ટ્રેનમાં આગ લાગી ત્યારે કેટલાક લોકોએ દરવાજા બંધ કરી દીધા હતા અને તેના કારણે તેઓ બહાર નીકળી શક્યા ન હતા. ચેલ્લાદુરાઈએ એમ પણ કહ્યું કે કેટલાક લોકો ઈમરજન્સી વિન્ડોમાંથી બહાર નીકળવામાં સફળ થયા.

ગેરકાયદેસર રીતે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ: રિપોર્ટ અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ ગેરકાયદેસર રીતે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કર્યો હોવાથી આગ લાગી હતી. આગની જાણ થતાં જ ઘણા મુસાફરો કૂદીને ભાગી ગયા હતા. આ પ્રવાસી ટ્રેને 17મી ઓગસ્ટે લખનઉથી તેની યાત્રા શરૂ કરી હતી. વિવિધ સ્થળોએ તેમનો પ્રવાસ પૂરો કર્યા પછી, તેઓ આવતીકાલે કોલ્લમ-એગમોર અનંતપુરી ટ્રેન (T.N. 16824) દ્વારા ચેન્નાઈ પાછા ફરવાના હતા અને ત્યાંથી લખનઉ જવાના હતા.

હેલ્પલાઈન નંબરઃ રેલ્વેએ આગની ઘટનાઓ સંબંધિત માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે. રેલવેએ બે મોબાઈલ નંબર 9360552608 અને 8015681915 પર સંપર્ક કરવા વિનંતી કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ પોલીસ અને એસએસ કોલોની પોલીસ સ્ટેશન કેસ નોંધીને તપાસ કરી રહી છે. રેલવેએ કહ્યું કે કોઈપણ વ્યક્તિ IRCTC વેબસાઈટનો ઉપયોગ કરીને વ્યક્તિગત મુસાફરી કોચ બુક કરી શકે છે. પરંતુ રેલ્વેએ કહ્યું છે કે જ્વલનશીલ ચીજવસ્તુઓ ક્યારેય સાથે ન રાખવી જોઈએ.

મૃતકોમાંથી છની ઓળખ: અધિકારીઓએ કહ્યું છે કે 9 મૃતકોમાંથી માત્ર 6ની ઓળખ થઈ શકી છે. આ મુજબ પરમેશ્વર દાયત ગુપ્તા, દમન સિંહ ચંદુરુ, હેમન પનવાલ, નીતિશ કુમારી, શાંતિ દેવી અને મનો વર્માના મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. 3 લોકોના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી ન હતી. અધિકારીઓએ જણાવ્યું કે તમામ મૃતકોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. બે પુરૂષ અને એક મહિલાના મૃતદેહની ઓળખ થઈ શકી નથી. ઘાયલોની મદુરાઈ રાજાજી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકોના સંબંધીઓને ત્રણ લાખનું વળતર:દરમિયાન, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓ અને ડૉક્ટરોને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા મૃતદેહોને તેમના વતન લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્ટાલિને એમ પણ કહ્યું કે તેમણે મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

  1. Madurai Train Fire Accident: મદુરાઈ રેલ્વે જંકશન પર ટ્રેનના બે ડબ્બાઓમાં આગ, 9 પ્રવાસીઓના મોત
  2. Madurai Train Accident : સંઘના સ્વયંસેવકે ચાર અજાણ્યા લોકોના જીવ બચાવ્યા પરંતુ તેમની પત્ની અને વહુને ન બચાવી શક્યા

ABOUT THE AUTHOR

...view details