ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Amritpal Singh Case : ભાગેડુ અમૃતપાલ સિંહ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, બિનજામીનપાત્ર વોરંટ જારી

અમૃતપાલ સિંહના ભાગી જવાનો વીડિયો સામે આવ્યા બાદ પંજાબના આઈજી સુખચૈન સિંહ ગિલે ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે, અમૃતપાલ સિંહ જે કારમાં ભાગી ગયો હતો તે કાર મળી આવી છે. તેની સાથે જ તેની સામે લુકઆઉટ સર્ક્યુલર અને બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.

By

Published : Mar 22, 2023, 8:40 AM IST

Punjab Amritpal Singh Case : ભાગેડુ અમૃતપાલ સિંહ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, બિનજામીનપાત્ર વોરંટ જારી
Punjab Amritpal Singh Case : ભાગેડુ અમૃતપાલ સિંહ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, બિનજામીનપાત્ર વોરંટ જારી

ચંદીગઢ : પંજાબ પોલીસે ભાગેડુ ખાલિસ્તાન સમર્થક 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) અને બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, પોલીસ મહાનિરીક્ષક (મુખ્યાલય), પંજાબ સુખચૈન સિંહ ગિલે કહ્યું કે, ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આઈજીપીએ કહ્યું કે, અમે તેને પકડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સુખચૈન સિંહ ગિલે કહ્યું કે, અમને અન્ય રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ : પંજાબ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે, અમૃતપાલ સિંહ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) અને બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કરવામાં આવ્યા છે, જે હજુ પણ ફરાર છે. સરકરે કહ્યું છે કે પંજાબ પોલીસ તમામ એજન્સીઓની મદદથી તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબ પોલીસે મંગળવારે ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની અનેક તસવીરો જાહેર કરી હતી. પંજાબના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) સુખચૈન સિંહે કહ્યું કે, અમૃતપાલ સિંહની અલગ-અલગ પોશાકમાં ઘણી તસવીરો છે.

આ પણ વાંચો :Amritpal Singh: હાઈકોર્ટ પંજાબ સરકારને લગાવી ફટકાર, કહ્યું - 80 હજાર પોલીસકર્મી શું કરી રહ્યા હતા ?

અમૃતપાલ સિંહ હજુ ફરાર છે :આમાંથી એક તસવીરમાં તે ક્લીન શેવ પણ નજરે પડે છે. ગિલે કહ્યું કે, અમે આ તમામ તસવીરો જાહેર કરી રહ્યા છીએ. જનતાને અપીલ કરતાં તેમણે કહ્યું કે આ તસવીરો બને તેટલા લોકો સુધી પહોંચે અને પોલીસને મદદ કરે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, તે દોડીને જલંધરના એક ગુરુદ્વારામાં ગયો હતો. ત્યાં તે કપડાં બદલીને મોટરસાઇકલ પર ફરાર થઇ ગયો હતો. અમૃતપાલ સિંહ છેલ્લે 18 માર્ચે એસયુવીમાંથી ભાગતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. તે હજુ ફરાર છે.

આ પણ વાંચો :Amritpal Search Operation: ભાગેડુ અમૃતપાલની ધરપકડ માટે ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત

અત્યાર સુધીમાં 154 લોકોની ધરપકડ કરવામાં આવી :તે કોઈ અન્ય રાજ્યમાં ભાગી ગયો હતો કે કેમ તે અંગેના પ્રશ્ન પર, પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે નાંગલ અંબિયનમાં ગુરુદ્વારા સાહિબ ભાગી ગયો હતો. જ્યાં તેણે કપડાં બદલ્યા. બે મોટરસાયકલ સવારોએ તેને ભાગવામાં મદદ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે પંજાબ પોલીસની ઘણી ટીમો આ મામલે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 154 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાઈફલ અને રિવોલ્વર સહિત 12 હથિયારો મળી આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details