ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દારૂબંઘી: JDU નેતાના ઘરેથી મળ્યો દારૂનો સ્ટોક, ખાખી ખાદી ને ખેપિયાઓની રાજરમત - Bihar police liquor case

બિહારના છપરામાં JDU નેતાના ઘરેથી પોલીસના દરોડા દરમિયાન અંગ્રેજી અને દેશી દારૂનો મોટો સ્ટોક (police raid Chhapra Bihar) મળી આવ્યો છે. છાપરા પોલીસે સતત દરોડાની ઝુંબેશ ચાલું રાખીને ઓચિંતા અને અણધાર્યા દરોડા પાડ્યા છે. જોકે, દારૂનો (Bihar police seizes liquor from JDU leader) આટલો મોટો સ્ટોક સામે આવ્યા બાદ નેતાએ બચાવગીરી કરી હતી. જેડીયુ નેતા કામેશ્વર સિંહનું (JDU Leader Kameshwar Singh) કહેવું છે કે મને અને મારી પાર્ટી જેડીયુને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પોલીસ આ સ્ટોક જપ્ત કરી કાયદેસરની કામગીરી કરી છે.

દારૂબંઘી: JDU નેતાના ઘરેથી મળ્યો દારૂનો સ્ટોક, ખાખી ખાદી ને ખેપિયાઓની રાજરમત
દારૂબંઘી: JDU નેતાના ઘરેથી મળ્યો દારૂનો સ્ટોક, ખાખી ખાદી ને ખેપિયાઓની રાજરમત

By

Published : Dec 21, 2022, 1:10 PM IST

સારણ-બિહાર:બિહારના છપરા હૂચની દુર્ઘટના બાદ પોલીસે એક્સાઈઝ વિભાગ સાથે મળીને યુદ્ધના ધોરણે દરોડા (police raid Chhapra Bihar) પાડવાના શરૂ કરી દીધા છે. આ દરમિયાન, JDU નેતાના ઘરેથી વિદેશી અને દેશી દારૂનો મોટો સ્ટોક ઝડપાયો છે. વાસ્તવમાં, મધૌરા પોલીસ અને એલટીએફની ટીમે જિલ્લાના સ્ટેશન રોડ, મધૌરા ખાતે JDU નેતા કામેશ્વર સિંહના (Bihar police seizes liquor from JDU leader) ઘરે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. મોટી માત્રામાં અંગ્રેજી અને દેશી દારૂનો સ્ટોક જપ્ત કર્યો છે. આ કેસમાં એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે ધરપકડ કરાયેલ મહિલા ભાડુઆતની પત્ની છે.

આ પણ વાંચો:પ્રેસ વાળી કારમાંથી મળ્યો દારૂનો મોટો સ્ટોક,900 ખોખા જોઈ પોલીસ પણ ચોંકી

નામ બદનામ કરવાનું ષડયંત્ર: JDU નેતા કામેશ્વર સિંહ (JDU Leader Kameshwar Singh) કહે છે કે હું ત્યાં નથી રહેતો એને 32 વર્ષ થયા. મારું ઘર ખૂબ જ જર્જરિત હાલતમાં છે. મને અને મારી પાર્ટી જેડીયુને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જ્યારે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, મારા ઘરની હાલત એવી છે કે કોઈ દરવાજો કે બારી નથી. મારા ઘર અને મારું નામ બદનામ કરવાનું મોટું ષડયંત્ર છે.

'દારૂબંધી'ના દાવા:બિહારના છપરામાં 73 લોકોનાં મોતથી શોકનો માહોલ છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ આંકડાની પુષ્ટિ કરવામાં આવી નથી. તે જ સમયે, ઘણા લોકોની હાલત હજુ પણ ખરાબ છે. હોસ્પિટલમાં ડઝનેક લોકોની સારવાર ચાલી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં દારૂબંધીની કોઈ અસર દેખાતી નથી. લોકો દરરોજ દારૂના નશામાં ધૂત જોવા મળે છે. દારૂબંધી છતાં લોકો છુપી રીતે દારૂ પી રહ્યા છે. હકીકતમાં, 5 એપ્રિલ 2016 થી સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં, બિહારમાં દારૂ પ્રતિબંધ કાયદો સંપૂર્ણ રીતે લાગુ થઈ રહ્યો નથી.

આ પણ વાંચો:ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો

મોટો લઠ્ઠાકાંડ:જુદા જુદા જિલ્લાઓમાં લઠ્ઠાને કારણે લોકોના મોત થતા રહે છે. આ પહેલીવાર નથી કે જ્યારે લઠ્ઠા-દેશીદારૂના કારણે લોકોનાં મોત થયા હોય. આખરે દેશી દારૂના કારણે મોત માટે જવાબદાર કોણ. શું તે દારૂ માફિયાઓ છે જેઓ ઝેરી દારૂ વેચી રહ્યા છે કે વહીવટીતંત્ર જેની મિલીભગતથી જિલ્લામાં દારૂ વેચાય છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે નકલી દારૂના કારણે મોત માટે સ્ટેશન ઈન્ચાર્જ જ કેવી રીતે જવાબદાર હોઈ શકે, જેમને વારંવાર દારૂના કારણે મોતના કેસમાં દોષિત ઠર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details