ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘાસચારા કૌભાંડ કેસ: લાલુ યાદવ સહિત 28 આરોપીઓ આજે સ્પેશિયલ કોર્ટમાં રહેશે હાજર - ડોરાન્ડા ટ્રેઝરી

RJD સુપ્રીમો લાલુ યાદવ પટનાના સ્પેશિયલ જજ પ્રજેશ કુમારની કોર્ટમાં આજે મંગળવારે કોર્ટ હાજર થશે. આજે બાંકા સબ ટ્રેઝરી કેસમાં (Sub Treasury case) નકલી બિલની મદદથી 46 લાખ રૂપિયાની ગેરકાયદેસર નિકાસના કેસમાં (FODDER SCAM CASE) લાલુ સહિત 28 આરોપીઓ હાજર થશે.

લાલુ યાદવ સહિત 28 આરોપીઓ આજે પટનાની વિશેષ અદાલતમાં હાજર થશે
લાલુ યાદવ સહિત 28 આરોપીઓ આજે પટનાની વિશેષ અદાલતમાં હાજર થશે

By

Published : Nov 23, 2021, 9:57 AM IST

  • ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ રહેશે કોર્ટમાં હાજર
  • લાલુ પ્રસાદ યાદવ સહિત 28 આરોપીઓ કોર્ટમાં હાજર રહેશે
  • બનાવટી બિલની મદદથી 46 લાખ રૂપિયા ગેરકાયદે ઉપાડનો મામલો

પટના, બિહાર: બાંકા સબ ટ્રેઝરી કેસ સંબંધિત ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) 23 નવેમ્બરે કોર્ટમાં આજે મંગળવારે હાજર રહેશે. ઘાસચારા કૌભાંડ કેસમાં (FODDER SCAM CASE) લાલુ પ્રસાદ યાદવ સહિત 28 આરોપીઓ પટનાના સ્પેશિયલ જજ કે પ્રજેશ કુમારની કોર્ટમાં હાજર રહેશે. ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ અત્યાર સુધી ઝારખંડ કોર્ટમાં હાજર રહેતા હતા, પરંતુ હવે બિહારમાં તેની શરૂઆત થઈ રહી છે.

બાંકા સબ ટ્રેઝરીમાંથી 46 લાખ રૂપિયાનો ઉપાડ

ઉલ્લેખનીય છે કે, બનાવટી બિલની મદદથી બાંકા સબ ટ્રેઝરીમાંથી (Banka Sub-treasury) 46 લાખ રૂપિયા ગેરકાયદે ઉપાડનો મામલો છે. જેમાં વિશેષ ન્યાયાધીશે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સહિત 28 આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું.

શરૂઆતમાં કુલ 44 આરોપી હતા

અગાઉ આ કેસમાં જગદીશ શર્મા, ધ્રુવ ભગત, આરકે રાણા, વેદ જુલિયસ, સાધના સિંહ, ત્રિપુરારી મોહન પ્રસાદ સહિત 16 આરોપીઓ કોર્ટમાં પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવ સહિત ત્રણ આરોપીઓ તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ વર્ષ 1996થી ચાલી રહ્યો છે. શરૂઆતમાં કુલ 44 આરોપી હતા, પરંતુ હાલમાં 28 આરોપીઓ પર કેસ ચાલી રહ્યો છે અને અડધો ડઝન આરોપીઓના મોતની માહિતી કોર્ટમાં આપવામાં આવી છે.

લાલુ યાદવ સોમવારે દિલ્હીથી પટના આવ્યા

જામીન મળ્યા બાદ વિવિધ રોગોથી પીડિત લાલુ યાદવ સોમવારે દિલ્હીથી પટના આવ્યા હતા. લાલુ યાદવ ત્યાં મોટી પુત્રી મીસા ભારતીના નિવાસસ્થાને રહેતા હતા અને એઈમ્સના ડૉક્ટરોની સલાહ પર સારવાર લઈ રહ્યા હતા. જો કે તેઓ હાલમાં જ બે બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રચાર કરવા બિહાર આવ્યા હતા, પરંતુ થોડા દિવસો પછી પટનાથી દિલ્હી પરત ફર્યા હતા.

56 લોકો વતી દલીલો પૂર્ણ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, રાંચીના ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના કેસમાં પણ સુનાવણી શરૂ થવા જઈ રહી છે. 29 નવેમ્બરથી લાલુ વતી ચર્ચા કરવામાં આવશે. હાલમાં આ મામલાની સુનાવણી સ્પેશિયલ CBI જજ એસ કે શશીની કોર્ટમાં ચાલી રહી છે. જેમાં એક-બે સપ્લાયર સિવાય અન્ય વતી દલીલો પૂર્ણ કરવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 56 લોકો વતી દલીલો પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details