ગુજરાત

gujarat

બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં માનવાધિકારના ઉલ્લંઘન મામલાની તપાસ માટે સમિતિ બનાવવા કોલકાતા હાઈકોર્ટનો નિર્દેશ

કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના અધ્યક્ષને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસા દરમિયાન થયેલા માનવાધિકારીઓના કથિત ઉલ્લંઘનના તમામ મામલાની તપાસ માટે સમિતિ બનાવવાનો નિર્દેશ કર્યો છે.

By

Published : Jun 19, 2021, 10:56 AM IST

Published : Jun 19, 2021, 10:56 AM IST

બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં માનવાધિકારના ઉલ્લંઘન મામલાની તપાસ માટે સમિતિ બનાવવા કોલકાતા હાઈકોર્ટનો નિર્દેશ
બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં માનવાધિકારના ઉલ્લંઘન મામલાની તપાસ માટે સમિતિ બનાવવા કોલકાતા હાઈકોર્ટનો નિર્દેશ

  • કોલકાતા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ સુનાવણી થઈ
  • હાઈકોર્ટે માનવાધિકારના ઉલ્લંઘનના મામલાની તપાસ કરવા સમિતિ બનાવવા કર્યો નિર્દેશ
  • સમિતિ આયોગને મળેલી કે મળી શકનારી દરેક ફરિયાદો અને મામલાની તપાસ કરશે

આ પણ વાંચોઃચૂંટણી પછીની હિંસા પર રાજ્યપાલના પત્ર પર બંગાળ સરકારે આપ્યો જવાબ

કોલકાતાઃ કોલકાતા હાઈકોર્ટની 5 જસ્ટિસની એક બેન્ચે રાજ્યમાં ચૂંટણી પછી હિંસાના આરોપ લગાવતી દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પણ સુનાવણી કરી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો કે, સમિતિ આયોગને મળેલી કે મળી શકનારી દરેક ફરિયાદો અને મામલાની તપાસ કરશે અને તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે.

આ પણ વાંચોઃકોલકાતામાં ભાજપ કાર્યાલય પાસે 51 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા

સમિતિ વર્તમાન સ્થિતિ અંગે સમગ્ર રિપોર્ટ તૈયાર કરી તેમને રજૂ કરેઃ હાઈકોર્ટ

હાઈકોર્ટે કહ્યું હતું કે, સમિતિ વર્તમાન સ્થિતિ અંગે સમગ્ર રિપોર્ટ તૈયાર કરી તેમને રજૂ કરે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 2 મેએ વિધાનસભા ચૂંટણીના પરિણામ થયા પછી ઘણી જગ્યા પર હિંસાની ઘટના થઈ હતી. ભાજપનો આરોપ છે કે, હિંસામાં તેમના કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, ચૂંટણી પછી હિંસામાં તેમના ઘણા કાર્યકર્તાઓ માર્યા ગયા છે.

ABOUT THE AUTHOR

...view details