- નરેન્દ્રગીરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ બાઘમ્બરી મઠ લાવવામાં આવ્યો
- લોકોએ અંતિમ વિદાય આપતા શ્રદ્ધાંજલિ આપી
- સુસાઇડ નોટમાં લખેલા લીંબુના વૃક્ષ નીચે સમાધિ આપવાની વાતનું રહસ્ય ખૂલ્યું
- અમેઠીથી આવેલા મૌની બાબાએ જણાવ્યું રહસ્ય
પ્રયાગરાજ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ બાઘમ્બરી મઠ લાવવામાં આવ્યો. અહીં સંપૂર્ણ રીતિ-રિવાજોની સાથે 13 અખાડાઓએ પૂજા-અર્ચના કરી. ત્યાં ઉપસ્થિત સાધુ સંત અને તેમના શિષ્ય અંતિમયાત્રામાં જોડાયા અને તેમને અંતિમ વિદાય આપી. ત્યારબાદ અંતિમયાત્રા સંગમ માટે નીકળી હતી.
નરેન્દ્રગીરીના મૃતદેહને હનુમાનજીના મંદિરે લઈ જવામાં આવ્યો
પોસ્ટમોર્ટમ બાદ નરેન્દ્રગીરીનો મૃતદેહ બાઘમ્બરી પહોંચ્યો. મૃતદેહના ત્યાં પહોંચતા જ ત્યાં ઉપસ્થિત સાધુ-સંતો અને ભક્તોની આંખો ભીની થઈ ગઈ. લોકોએ તેમની અંતિમ યાત્રાને અંતિમ વિદાય આપતા શ્રદ્ધાંજલિ આપી. યાત્રા સીધી સંગમ માટે રવાના થઈ ગઈ. ત્યારબાદ તેમને લેટે હનુમાનજીના મંદિરે લઈ જવામાં આવ્યા. અહીં મહંત નરેન્દ્રગીરીએ હનુમાનજીની અનેક વર્ષો સુધી સેવા કરી હતી.
લીંબુ નીચે સમાધિ બનાવવાનો શું અર્થ?
તો અમેઠી આવેલા સંત મૌની બાબાએ તેમની સુસાઇડ નોટમાં લખેલા લીંબુના વૃક્ષ નીચે સમાધિ બનાવવાના સંબંધમાં રસપ્રદ વાત જણાવી. કહ્યું કે, જે સંત એ ઇચ્છા કરે કે લીંબુના વૃક્ષ નીચે તેમની સમાધિ બનાવવામાં આવે તો તેનો અર્થ એ છે કે તેમની પાછળ અનેક કાવતરાખોરો લાગ્યા છે. તેઓ સંતને હેરાન કરી રહ્યા છે. આવું કરવાથી તમના શત્રુઓનો વિનાશ શરૂ થઈ જાય છે.
અનાદિકાળથી ચાલતી આવી રહી છે આ પરંપરા
શિવ યોગી મૌની બાબાએ કહ્યું કે, સમાધિ એ સંન્યાસીઓની હોય છે જે સંન્યાસ લીધા બાદ પિંડદાન એ જ સમયે કરી દે છે. મર્યા બાદ તેમને સળગાવવામાં નથી આવતા. યા તો ભૂ-સમાધિ આપવામાં આવે છે અથવા જળ સમાધિની પ્રક્રિયા થાય છે. ખાડામાં પૂજા કરીને તેમને સમાધિ આપવામાં આવે છે. એક મૂર્તિની માફક ભક્તો તેમની પૂજા કરે છે. આ પરંપરા અનાદિકાળથી ચાલતી આવી રહી છે. તેમણે કહ્યું કે, એક સંન્યાસીની અંતિમ તીર્થ યાત્રા છે. ભગવાનની કૃપા બાદ એક વર્ષમાં સમાધિ પૂર્ણ રીતે સ્થાપિત થઈ જશે.