નવી દિલ્હી:કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ વધુ એક ગેંગસ્ટરની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કેનેડાના પિનીપેગ શહેરમાં સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનુકેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સુખબીર સિંહ ઉર્ફે સુખા આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શનો જમણો હાથ માનવામાં આવતો હતો અને તે ગુપ્તચર એજન્સી NIAની વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ હતો. કેનેડામાં રહેતા સુખા ભારતમાં ખંડણીખોરનું કામ કરતો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુખાને લગભગ 15 ગોળી વાગી હતી. સુખબીર સિંહ 2017માં નકલી પાસપોર્ટની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. સુખા સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે.
Sukha Duneke Murdered: ખાલિસ્તાની આતંકવાદી સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનુકે કેનેડામાં માર્યો ગયો - Canada
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેનેડામાં વધુ એક ખાલિસ્તાની આતંકવાદી સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનેકેની હત્યા કરવામાં આવી છે. સુખદુલ સિંહ ઉર્ફે સુખા ડંકે મોગા જિલ્લાનો રહેવાસી હતો.
![Sukha Duneke Murdered: ખાલિસ્તાની આતંકવાદી સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનુકે કેનેડામાં માર્યો ગયો HN-NAT-21-09-2023-Khalistani terrorist and gangster sukhwinder singh alias sukha dunuke killed in canada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-09-2023/1200-675-19567924-thumbnail-16x9-jpg.jpg)
Published : Sep 21, 2023, 11:04 AM IST
|Updated : Sep 21, 2023, 11:17 AM IST
વધુ એક ખાલીસ્તાનીની હત્યા:સુખબીર સિંહ 2017માં નકલી પાસપોર્ટની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. સુખા સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને પણ ઠાર કરવામાં આવ્યો હતો. જે બાદ ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓના નિશાન બન્યા છે. તે જ સમયે, આ ઘટનાઓ પછી, કેનેડા અને ભારતના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે આ હત્યાઓ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ નિવેદનને વાહિયાત ગણાવ્યું હતું અને તેની નિંદા કરી હતી.
update...