ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા બાબા કેદારનાથના કપાટ, ફક્ત તીર્થ પુરોહિતો થયાં પૂજામાં સામેલ - Kedarnath Temple

આજે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન કેદારનાથના કપાટ ખુલી ગયા છે. આ પ્રસંગે કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. મંદિરમાં પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી.

kedarnath
kedarnath

By

Published : May 17, 2021, 6:49 AM IST

  • બાબા કેદારનાથના દ્વાર સાદગી સાથે ખુલ્યા
  • ભક્તો વિના બાબાનો દરબાર નિર્જન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા

રુદ્રપ્રયાગ: ભગવાન કેદારનાથના દરવાજા આગામી છ મહિના માટે ખોલવામાં આવ્યા છે. આ પ્રસંગે ભગવાન કેદારનાથના મંદિરને ભવ્ય અને દિવ્ય રીતે 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. કેદારનાથ ધામમાં આ પ્રસંગે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ અને જિલ્લા મેજિસ્ટ્રેટ મનુજ ગોયલ પણ હાજર હતા. સવારે પાંચ વાગ્યે ભગવાન કેદારનાથના દરવાજા વિધિ અને વૈદિક શ્લકથી ખોલવામાં આવ્યા હતા.

બાબા કેદારનાથના દ્વાર સાદગી સાથે ખુલ્યા

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને કારણે ચારધામ યાત્રા મુલતવી રાખ્યા બાદ ભગવાન કેદારનાથના દરવાજા સાદગી સાથે ખુલ્યા હતા. આ સમયે ફક્ત કેટલાક તીર્થ પુજારીઓને કેદારનાથ ધામની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે.

બાબા કેદારનાથના દ્વાર સાદગી સાથે ખુલ્યા

આ પણ વાંચો: અભિજીત મુહૂર્તમાં વિધિ-વિધાન સાથે ખૂલ્યા યમુનોત્રી ધામ કપાટ, વડાપ્રધાન મોદીના નામે પ્રથમ પૂજા

ભક્તો વિના બાબાનો દરબાર નિર્જન

દરવાજા ખોલવાની તૈયારીઓને લઈને રવિવારે જ અધિકારીઓ અને કર્મચારીઓ કેદારનાથ ધામ પહોંચી ગયા હતા. પરંતુ ભક્તો વિના બાબાનો દરબાર નિર્જન છે.

11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા બાબા કેદારનાથના મંદિરને

ભગવાન કેદારનાથના મંદિરને ઋષિકેશ નિવાસી સૌરભ કાલરાના સહયોગથી 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભગવાન કેદારનાથના દરવાજા ખોલવા કેદારનાથના રાવલ ભીમાશંકર શંકર લિંગ, જિલ્લા મેજિસ્ટ્રેટ મનુજ ગોયલ, નાયબ તહેસીલદાર જયબીર રામ બઘાણી પણ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. દેવસ્થાનમ બોર્ડના અધિકારી અને પ્રભારી યદુવીર પુષ્વાણે કહ્યું કે, ભગવાન કેદારનાથ સહિતના તમામ સહાયક મંદિરોને રંગોથી શણગારવામાં આવ્યા છે. વીજળી અને પાણીનો પુરવઠો સરળ બનાવવામાં આવ્યો છે.

11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા બાબા કેદારનાથના મંદિરને

મુખ્યપ્રધાન તીરથે પાઠવી શુભેચ્છાઓ

મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે શુભેચ્છાઓ પાઠવતા ભક્તોને અપીલ કરી છે કે, તેઓ તેમના ઘરે રહીને પૂજા-અર્ચના કરે. તે જ સમયે પર્યટન પ્રધાન સતપાલ મહારાજે કહ્યું કે, દેવસ્થાનમ બોર્ડ અને મંદિર સમિતિઓ દ્વારા ચાર ધામોમાં પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી જનકલ્યાણ માટે કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા

સવારે 5 વાગ્યે કપાટ ખોલ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગુજરાતનાં ઉદ્યોગપતિ દિપક રાવત દર વર્ષે દિવાળી, શ્રાવણ અને કપાટનાં ખુલવાના પ્રસંગે વડાપ્રધાન મોદીનાં નામની પૂજા કરાવે છે. વડાપ્રધાન મોદીની પૂજા અર્ચના માટે દેવસ્થાનમ બોર્ડ દ્વારા 6500 રૂપિયાની રસીદ કાપવામાં આવી છે.

આ પણ વાંચો: ગંગોત્રી ધામના કપાટ આજથી 6 મહિના સુધી કપાટ ખૂલ્લા રહેશે, વડાપ્રધાન મોદીના નામની થઈ પહેલી પૂજા

પરંપરા મુજબ પાલખી પહોંચી કેદારનાથ

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પહેલા 13 મેના રોજ ભગવાન ભૈરવનાથની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. બાબા કેદારનાથની વિગ્રહ પાલખી ઉખીમઠથી પ્રસ્થાન કરીને 14 મેના રોજ ફાટા પહોંચી જ્યારબાદ 15 મેના રોજ ગૌરીકુંડ અને 16 મેના રોજ કેદારનાથ પહોંચી ગયા છે.

અગાઉ ઓમકારેશ્વર મંદિર અને ભૈરવનાથ મંદિરની પરિક્રમા બાદ પાલખી કેદારનાથ જવા રવાના થઈ હતી. પરંપરા અનુસાર પાલખી સમાધિની ફરતે ઉખીમથ-ચોપતા-ગોપેશ્વર હાઇવે પર પહોંચી હતી. અહીં પહેલેથી હાજર વહીવટી તંત્ર પોલીસ અને દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓએ વાહનમાં બેસીને પાલખીને ત્યાંથી રવાના કરી દીધી હતી. કેદારનાથ સહિત ચારધામના દરવાજા દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં શિયાળાની ઋતુ દરમિયાન બંધ રહે છે. ત્યારબાદ આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં ભક્તોને દર્શન માટે ખોલવામાં આવે છે.

ફક્ત તીર્થ પુરોહિતો થયાં પૂજામાં સામેલ

બદરીનાથ ધામના કપાટ 18 મેના રોજ ખુલશે

18 મેના રોજ બદરીનાથ ધામના દરવાજા ખોલવામાં આવશે. ધામના દરવાજા કાયદા વિધિ-વિધાન સાથે સવારે 4: 15 વાગ્યે ખોલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details