શ્રીનગર: ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે રવિવારે કહ્યું કે જ્યાં સુધી(KASHMIRI PANDIT EMPLOYEES SHOULD BE TRANSFERRED) કાશ્મીરની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કાશ્મીરી પંડિત કર્મચારીઓને જમ્મુ શિફ્ટ કરવામાં આવે. આઝાદે અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું, 'દુર્ભાગ્યવશ કેટલીક ઘટનાઓ બની છે. જીવન પ્રાથમિકતામાં છે અને તેથી હું માનું છું કે કાશ્મીરી પંડિત કર્મચારીઓને જમ્મુમાં સુરક્ષિત સ્થળોએ ખસેડવા જોઈએ. પરિસ્થિતિ સુધર્યા પછી એ લોકોએ પાછા ફરવું જોઈએ.'
સ્થિતિ સુધરે ત્યાં સુધી કાશ્મીરી પંડિતને જમ્મુ ટ્રાન્સફર કરોઃ આઝાદ - જમ્મુ ટ્રાન્સફર
ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે(KASHMIRI PANDIT EMPLOYEES SHOULD BE TRANSFERRED) કાશ્મીરી પંડિત કર્મચારીઓને જમ્મુ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રોજગાર કરતાં જીવન મહત્ત્વનું (GHULAM NABI AZAD )હોવું જોઈએ.

વચન આપ્યું હતું:તેમણે કહ્યું કે, જીવન રોજગાર કરતાં વધુ મહત્વનું છે અને જો તેમની પાર્ટી કેન્દ્રશાસિત પ્રદેશમાં સત્તા પર આવશે તો આવું પગલું ભરવાનું વચન આપ્યું હતું. "મને ખબર નથી કે સરકારનું વલણ શું છે, પરંતુ જો અમારી (GHULAM NABI AZAD )પાર્ટી સત્તા પર આવશે, તો અમે તેમ કરીશું," તેમણે કહ્યું.
ચૂંટણી યોજવામાં વિલંબ:જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં વિલંબ અંગે પૂછવામાં આવતા પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, અમે છેલ્લા છ વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. મેં આ મુદ્દો સંસદમાં પણ ઘણી વખત ઉઠાવ્યો હતો. તેઓ અમને પંચાયત ચૂંટણી કે ડીડીસી ચૂંટણી બતાવે છે, પરંતુ ખરી ચૂંટણી વિધાનસભાની છે, જે થઈ રહી નથી.