ગુજરાત

gujarat

By

Published : Aug 30, 2021, 9:55 PM IST

ETV Bharat / bharat

જન્માષ્ટમી 2021: કશ્મીરના લાલ ચોકમાં ઉજવાઈ ધૂમધામથી જન્માષ્ટમી, કશ્મીરી પંડિતોએ યોજી શોભાયાત્રા

આજે સોમવારે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કશ્મીરમાં પણ ઘણા વર્ષો બાદ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. હરે રામા હરે કૃષ્ણ સંસ્થાના અનુયાયીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.

કશ્મીરના લાલ ચોકમાં ઉજવાઈ ધૂમધામથી જન્માષ્ટમી, કશ્મીરી પંડિતોએ યોજી શોભાયાત્રા
કશ્મીરના લાલ ચોકમાં ઉજવાઈ ધૂમધામથી જન્માષ્ટમી, કશ્મીરી પંડિતોએ યોજી શોભાયાત્રા

  • વર્ષો બાદ જમ્મૂ-કશ્મીરમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી
  • જન્માષ્ટમી નિમિત્તે શ્રીનગરમાં યોજવામાં આવી શોભાયાત્રા
  • ભજન-કિર્તન સાથે અનુયાયીઓએ માહોલ ભક્તિપૂર્ણ બનાવ્યો

જમ્મૂ: જમ્મૂ-કશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ ઘણુંબધું બદલાઈ ગયું છે. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસ પર કશ્મરીના લાલ ચોકને તિરંગાથી સજાવવામાં આવ્યો હતો. જ્યારબાદ આજે જન્માષ્ટમી નિમિત્તે હરે રામા હરે કૃષ્ણ સંસ્થાના અનુયાયીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા જે પણ વિસ્તારોમાંથી નિકળતી હતી, ત્યાંના સ્થાનિકોએ ભાવભીપૂર્વક તેનું સ્વાગત કર્યું હતું.

કશ્મીરના લાલ ચોકમાં ઉજવાઈ ધૂમધામથી જન્માષ્ટમી, કશ્મીરી પંડિતોએ યોજી શોભાયાત્રા

પૂરતા પોલીસ કાફલા સાથે યોજાઈ હતી શોભાયાત્રા

કશ્મીરી પંડિતો દ્વારા યોજવામાં આવેલી આ શોભાયાત્રા લાલ ચોકથી શરૂ કરવામાં આવી હતી. જે શ્રીનગરના તમામ પ્રમુખ બજારોમાંથી થઈને પરત લાલ ચોક ખાતે સંપન્ન થઈ હતી. આ દરમિયાન સુરત્રા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં હરે રામા હરે કૃષ્ણ સંસ્થાના અનુયાયીઓ દ્વારા ભજન કિર્તન સાથે શ્રીનગરનો માહોલ ભક્તિભાવપૂર્ણ બનાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details