ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થી ઉજવવાની મંજૂરી આપી

કર્ણાટક હાઈકોર્ટે હુબલીના ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવની(karnataka Ganesh Chaturthi 2022) પૂજા કરવાની મંજૂરી આપી છે (Karnataka HC permits Ganesh Chaturthi celebrations). ધારવાડ મ્યુનિસિપલ કમિશનરના આદેશને પડકારતી અરજીને ફગાવી દેતાં કોર્ટે કેટલીક શરતો સાથે પૂજાને મંજૂરી આપી છે (Karnataka HC permission celebrate Ganesh Chaturthi ). હાઇકોર્ટે ગણેશ ચતુર્થીને મંજૂરી આપવાના સત્તાધિકારીઓના નિર્ણયને સમર્થન આપ્યું હતું, એમ માનીને કે મિલકત પ્રતિવાદીની છે અને તેનો ઉપયોગ નિયમિત પ્રવૃત્તિઓ કરવા માટે થાય છે.

By

Published : Aug 31, 2022, 6:59 AM IST

Updated : Aug 31, 2022, 9:28 AM IST

Etv Bharatગણેશ પૂજા
Etv Bharatગણેશ પૂજા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બેંગલુરુના ઇદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી અંગે પોતાનો ચુકાદો આપ્યો છે(Karnataka HC permits Ganesh Chaturthi celebrations at Hubballi Idgah Maidan). સુપ્રીમ કોર્ટની બેન્ચે આ નિર્ણય હાઈકોર્ટની પરવાનગી વિરુદ્ધની અરજી પર આપ્યો છે. કોર્ટે ગણેશ પૂજાને મંજૂરી આપી નથી(Karnataka HC permission celebrate Ganesh Chaturthi ). કોર્ટે પોતાના નિર્ણયમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક વક્ફ બોર્ડે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 26 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારને ડેપ્યુટી કમિશનર, બેંગલુરુ (શહેરી) દ્વારા ચામરાજપેટ ખાતે ઈદગાહ મેદાનનો ઉપયોગ કરવા માટે મળેલી અરજીઓને ધ્યાનમાં લઈને યોગ્ય આદેશો પસાર કરવાની મંજૂરી આપી હતી.

ગણપતી ચતુર્થીની પરમિશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ એમએમ સુંદરેશની સ્પેશિયલ બેન્ચમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે શું આ જગ્યાએ અગાઉ કોઈ અન્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે. રોહતગીએ કહ્યું કે રાજ્ય સરકારે આવી કોઈ પરવાનગી આપી નથી. માલિકી અંગે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ માલિકી અંગે નથી, આ જમીન રાજ્ય સરકારની છે.

કોર્ટે આપ્યો ચૂકાદો આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો વકફની તરફથી ખોટી રજૂઆત થશે તો કોર્ટ અવમાનનાની કાર્યવાહી શરૂ કરશે. રોહતગીએ કહ્યું કે, રેવન્યુ અને BBMP રેકોર્ડમાં જમીનનો રમતના મેદાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સરકારી જમીન તરીકે ઓળખાય છે. સુપ્રીમ કોર્ટ સમક્ષનો દાવો મનાઈ હુકમનો દાવો હતો અને ટાઈટલ દાવો નહોતો. મુસ્લિમ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ અને તાકીદે સુનાવણીની માંગ કરી હતી. આ વિસ્તારમાં બિનજરૂરી ધાર્મિક તણાવ પેદા કરવામાં આવી રહ્યો છે. જે બાદ સુપ્રીમ કોર્ટ મંગળવારે આ મામલાની સુનાવણી કરવા રાજી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે પહેલા સુનાવણી કરી, પરંતુ બંનેએ અલગ અલગ નિર્ણયો આપ્યા, તેથી આ મામલો ત્રણ સભ્યોની બેન્ચને મોકલવામાં આવ્યો.

બેંગલુરુમાં ઇદગાહ મેદાનમાં સુરક્ષા બેંગલુરુમાં ઇદગાહ મેદાનની સુરક્ષા યથાસ્થિતિ જાળવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વધારી દેવામાં આવી છે. ઇદગાહ મેદાનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ અને આરએએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઈદગાહની સુરક્ષા માટે 03 DCP, 21 ACP, 47 ઈન્સ્પેક્ટર, 130 PSI, 126 ASI, 900 કોન્સ્ટેબલ, 120 RAF સહિત 1500 પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે ચામરાજપેટ મેદાનની આસપાસ ફ્લેગ માર્ચ કાઢી હતી. હાલમાં ચામરાજપેટ ગ્રાઉન્ડની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને ગ્રાઉન્ડમાં માત્ર એક તરફ જવાની મંજૂરી છે. પોલીસે સાવચેતીના પગલા રૂપે પશ્ચિમી સેક્ટરના કેટલાક ઘરોમાં પહેલેથી જ દરોડા પાડ્યા છે. પોલીસે ફરાર ગુનેગારોની પણ અટકાયત કરી છે અને CrPCની કલમ 110 હેઠળ ચેતવણી જારી કરવામાં આવી છે.

ત્રણ દિવસ કરાશે ઉજવણી હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (HDMC) એ ત્રણ દિવસ માટે ઇદગાહ મેદાનમાં ગણેશ મૂર્તિઓની સ્થાપનાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. હુબલી ધારવાડના મેયર ઈરેશ અચંતગેરીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે લાંબી બેઠક બાદ સોમવારે મોડી રાત્રે આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ મુદ્દે નાગરિક સંસ્થા દ્વારા રચાયેલી ગૃહની સમિતિની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મેયરનું નિવેદન મેયરના જણાવ્યા અનુસાર, ગૃહની સમિતિએ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ ગણેશ ઉત્સવને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. તેને ઉત્સવને મંજૂરી આપવાની તરફેણમાં 28 અને તેની વિરુદ્ધ 11 મેમોરેન્ડમ મળ્યા હતા. સમિતિના અહેવાલ અને વિગતવાર ચર્ચા બાદ ગણેશ ઉત્સવને ત્રણ દિવસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છ સંસ્થાઓએ ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરવાનગી માંગી હતી, જેમાંથી એકની પસંદગી કરવામાં આવી હતી અને બાકીની સંસ્થાઓને ઉત્સવની સારી રીતે ઉજવણી કરવામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. નોંધનીય છે કે કોંગ્રેસના કાઉન્સિલરોના વિરોધ છતાં મહાપાલિકાએ આ નિર્ણય લીધો હતો. વિવાદ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુસ્લિમ સમુદાયને આ મેદાનમાં વર્ષમાં માત્ર બે વાર જ નમાજ પઢવાની છૂટ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

Last Updated : Aug 31, 2022, 9:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details