ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MANGALORE LEOPARD RESCUED : કર્ણાટકની મહિલા પશુચિકિત્સકે બચાવ્યો દીપડો, જુઓ વીડિયો - એનેસ્થેસિયાની ગોળી મરાઈ બેહોશ કરાયો

કર્ણાટકમાં એક મહિલા પશુચિકિત્સકે એક દીપડાને બચાવ્યો. દીપડો એક કૂવામાં પડી ગયો હતો, જેને બહાર કાઢવામાં વન અધિકારીઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ ડો.મેઘનાએ આ અસફળ કાર્યને સફળતાપૂર્વક કર્યું છે. ડૉ.મેઘનાએ કેવી રીતે દીપડાને બચાવ્યો. તે જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ..

કર્ણાટકની મહિલા પશુચિકિત્સકે બચાવ્યો દીપડાનો જીવ
કર્ણાટકની મહિલા પશુચિકિત્સકે બચાવ્યો દીપડાનો જીવ

By

Published : Feb 14, 2023, 5:43 PM IST

મેંગલોર(કર્ણાટક): પ્રાણીઓને બચાવવાની જવાબદારી વન અધિકારીઓની છે. પરંતુ કર્ણાટકમાં એક મહિલા પશુચિકિત્સકે દીપડાનો જીવ બચાવ્યો હતો. મેંગલોરની હદમાં આવેલા કાતિલુ નજીક નિદ્દોડી ખાતે બે દિવસ પહેલા એક દીપડો કૂવામાં પડી ગયો હતો. વનવિભાગના અધિકારીઓએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. તેથી મહિલા વેટરનરી સર્જને તે કરી બતાવ્યું જે વન અધિકારીઓ પણ કરી શક્યા ન હતા.

કર્ણાટકની મહિલા પશુચિકિત્સકે બચાવ્યો દીપડો

વન અધિકારીઓ નિષ્ફળ: દીપડો કૂવાની અંદર એક નાની ગુફા જેવી જગ્યાએ બેઠો હતો. આ જોઈને વન વિભાગના અધિકારીઓ તેને કોઈક રીતે ગુફામાંથી બહાર કાઢીને પાંજરામાં પૂરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ પછી તેમણે મહિલા વેટરનરી સર્જન ડો.મેઘના પેમૈયાને બોલાવીને દીપડાને બહાર કાઢવાની ઝુંબેશ હાથ ધરી હતી. ડો.મેઘનાની સાથે ડો.પૃથ્વી, ડો.નફીસા અને ડો.યશસ્વી નરવી પણ તેના ઓપરેશનમાં સામેલ હતા.

આ પણ વાંચો:Bangalore university alert students: ચિત્તા જોયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપી ચેતવણી

એનેસ્થેસિયાની ગોળી મરાઈ બેહોશ કરાયો:વન અધિકારીઓએ ધીમે ધીમે તેને પાંજરાની સાથે કૂવામાં ઉતારી. કુવામાં ઉતરીનેમેઘનાએ બંદૂક વડે એનેસ્થેસિયાની ગોળી મારી. જેના કારણે દીપડો બેભાન થઈ ગયો. બાદમાં વન વિભાગનો કર્મચારી દોરડા વડે કૂવામાં ઉતર્યો હતો. તેણે બેભાન દીપડાને પાંજરાની અંદર જ્યાં ડો.મેઘના હતી ત્યાં મૂકી દીધો. પછી ધીમે ધીમે પાંજરું ઉપર લેવામાં આવ્યું.

આ પણ વાંચો:આ તે કેવો દિપડો..... વૃક્ષ પર ચઢીને કરી રહ્યો છે આ કામ, લોકો જોઈને બોલ્યા...

આરોગ્ય તપાસ બાદ દીપડાને જંગલમાં છોડી દેવાયો: કૂવામાંથી બહાર આવ્યા બાદ દીપડાને અન્ય ઈન્જેક્શન આપીને ગાઢ નિંદ્રામાં મુકવામાં આવ્યો હતો. અહીં ડો.મેઘના પણ કાર્યક્ષમતાથી બહાર આવી હતી. આરોગ્ય તપાસ બાદ દીપડાને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે. આ અંગે પશુ ચિકિત્સક ડો.યશસ્વી નરવીએ ETV ભારતને જણાવ્યું હતું કે પાંજરા સાથે કૂવામાં જઈને દીપડાને બચાવવા એ એક પડકારજનક કાર્ય હતું. જો પાંજરું હટાવવામાં ભૂલ થાય તો દીપડાના હુમલાની શક્યતા હતી. ડો.યશસ્વી નરવીએ જણાવ્યું હતું કે ડો.મેઘનાએ મહિલા વેટરનરી સર્જન તરીકે જે કાર્ય કર્યું છે તે પ્રશંસનીય છે.

ABOUT THE AUTHOR

...view details