મૈસૂર: નંજનગુડુ તાલુકાના બલ્લુર હુંડી ગામમાં વાઘે ખેતરમાં (Karnataka A tiger attacked a farmer ) ઢોર ચરાવી રહેલા સ્વામી (52) નામના ખેડૂત પર હુમલો કર્યો. આજુબાજુના ખેતરના ખેડૂતોએ જોરથી ચીસો પાડતાં વાઘ નાસી છૂટ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ ખેડૂતને માથા અને ગાલ પર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
વાઘે ઢોર ચરાવી રહેલા ખેડૂત પર અચાનક કર્યો હુમલો... -
કર્ણાટકના નંજનગુડુ તાલુકાના બલ્લુર હુંડી ગામમાં વાઘે ખેતરમાં ઢોર ચરાવી રહેલા સ્વામી (52) નામના ખેડૂત પર હુમલો (Karnataka A tiger attacked a farmer ) કર્યો. આજુબાજુના ખેતરના ખેડૂતોએ જોરથી ચીસો પાડતાં વાઘ નાસી છૂટ્યો હતો.
Etv Bharatv
વાઘના હુમલાને કારણેખેડૂતો પોતાના ખેતરમાં જતા ડરે છે. થોડા દિવસ પહેલા જ પુટ્ટસ્વામી ગૌડા નામના ખેડૂતને વાઘે મારી નાખ્યો હતો. વિભાગની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બની રહી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. ગ્રામજનોએ વાઘને તાત્કાલિક પકડવાની માંગ કરી છે.
ટી નરસીપુર તાલુકાનાનુગેહલ્લીકોપ્પાલુ પાસે બકરીઓનો શિકાર કરીને એક દીપડો નાસી ગયો હતો. દીપડાઓ પાળેલા પ્રાણીઓ પર હુમલો કરતા ગ્રામજનો ભયભીત છે. વિભાગના અધિકારીઓ લગભગ એક મહિનાથી દીપડાને પકડવામાં નિષ્ફળ જતાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.