કાનપુરઃ કાનપુર શહેર માટે એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. કાનપુરના વીર સિપાહી આલમ બેગની ખોપરીને ભારત પરત લાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. પંજાબ પોલીસ દિલ્હીમાં રહેતા આલમ બેગગના પરિવારજનોને રૂબરૂ મળીને આ ખોપરી સોંપશે. આ ઘટના એક મોટી સફળતા સમાન છે. આ ખોપરીની તપાસ બીએચયુના જીન વિજ્ઞાની પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે કરશે. આ પ્રોફેસર દ્વારા માર્ચ 2014માં અજનાલા જિલ્લામાં મળેલા 200 નર ખોપરીના ડીએનએની તપાસ કાર્ય ચાલુ રાખ્યું હતું. શહેરની સાથે દેશ અને દુનિયામાં આ મામલો ચર્ચા સ્પદ બન્યો છે.
કેવી રીતે થઈ ઓળખઃઆ સમગ્ર મામલામાં બીએચયુના પ્રોફેસર ચૌબે જણાવે છે કે 1963માં લંડનના એક પબમાં એક કપલે આ ખોપરીને મળી આવી હતી. આ કપલે તરત જ આ ખોપરી લઈ જવાની ઈચ્છા જણાવી. જ્યારે એમણે ખોપરી મળી ત્યારે તેની આંખોના ભાગે એક કાણમાં એક ચબરખી હોવાનું માલૂમ પડ્યું. જેમાં આલમ બેગની સમગ્ર હકીકત વર્ણવી હતી. આ કપલે યુકેમાં પ્રો. વૈગનરનો સંપર્ક કર્યો. પ્રો. વૈગનરના રીસર્ચ પર આધાર રાખીને આ દાવો કરવામાં આવ્યો છે કે આ ખોપરી ભારતના વીર સપૂત આલમ બેગની છે.