ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જયશંકર યુએસમાં સિંગાપોરના સમકક્ષને મળ્યા; ઇન્ડો-પેસિફિક, COVID-19 પર ચર્ચા કરી - વિવિયન બાલકૃષ્ણન

વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલકૃષ્ણનને ન્યૂયોર્કમાં મળ્યા છે. 11 મી ઓગસ્ટે વર્ચ્યુઅલ રીતે 15 મી ભારત-સિંગાપોર વિદેશ કાર્યાલય પરામર્શમાં બંને પક્ષોએ ચર્ચા કરી હતી.

જયશંકર યુએસમાં સિંગાપોરના સમકક્ષને મળ્યા; ઇન્ડો-પેસિફિક, COVID-19 પર ચર્ચા કરી
જયશંકર યુએસમાં સિંગાપોરના સમકક્ષને મળ્યા; ઇન્ડો-પેસિફિક, COVID-19 પર ચર્ચા કરી

By

Published : Sep 27, 2021, 12:09 PM IST

  • જય શંકર સિંગાપોરમાં મળ્યા પોતાના સમકક્ષને
  • કોરોના અંગે કરવામાં આવી ચર્ચા
  • ચીન વિશે પણ કરવામાં આવી ચર્ચા

ન્યુયોર્ક : વિદેશ પ્રધાન એસ જયશંકરએ સિંગાપોરના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણ સાથે મુલાકાત દરમિયાન રાજનૈતિક રૂપથી મહત્વ હિંદ-પ્રશાંત ક્ષેત્રને લઈને વાતચીત કરી હતી અને કોવિડ-19થી છુટકારો મેળવવા માટે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

ભારત-સિંગાપોર વચ્ચે ચર્ચા

જયશંકરે સયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 સત્રની બેઠક સિવાય ઘણી બેઠકો કરી. તે રવિવારે મેક્સિકો માટે રવાના થઈ ગયા હતા. જયશંકરે એક ટ્વીટમાં બાલાકૃષ્ણને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા. તેમણે ભારતીય મૂળ સિંગાપૂરી નેતા સાથેની પોતાની બેઠક વિશે રવિવારે ટ્વીટ કર્યું હતું," એક જૂના મિત્ર સાથે સહજ રીતે વાતચીત થઈ" વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણ સાથે મુલાકાત દરમિયાન રાજનૈતિક રૂપથી મહત્વ હિંદ-પ્રશાંત ક્ષેત્રને લઈને વાતચીત કરી હતી અને કોવિડ-19થી છુટકારો મેળવવા માટે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણ: DRI દ્વારા કુલ 9 આરોપીની કરાઈ ધરપકડ

ચીનની વધતી તાકાત

હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીની સૈન્ચની વધતી હાજરીને ભારત, અમેરીકા અને વિશ્વના કેટલાય અન્ય નેતાઓ મુક્ત, ખુલ્લુ અને સપન્ન ક્ષેત્ર સુનિશ્ચિત કરવાની આવશ્કતા પર ચર્ચા કરી રહ્યા છે. ચીન લગભગ આખા વિવાદીત દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો કરે છે, જ્યારે તાઈવાન, ફિલીપીન, બ્રુનેઈ, મલેશિયા અને વિયતનામ પણ આ વિશે પોતાનો દાવો કરે છે. ચીને દક્ષિણ ચીન સાગરમાં કેટલાક કૃત્રિમ દ્વીપ અને સૈન્ય પ્રતિષ્ઠાન બનાવ્યા છે.

આ પણ વાંચો : અનુરાગ ઠાકુરે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી

5 મહિના પહેલા પણ થઈ હતી બેઠક

જયશંકર અને બાલાકૃષ્ણનની આ બેઠક એક મહિના પહેલા ભારત અને સિગાપોરને હિન્દ-પ્રશાંતના સહયોગના રસ્તાઓ પર ચર્ચા કરી હતી અને ક્ષેત્રમાં હાજર આંતરારષ્ટીય અને રાજનૈતિક મહત્વના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details