ભોપાલ: દેશમાં કોરોનાની બીજી લહેર આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને મધ્યપ્રદેશમાં પણ કોરોનાએ ઝડપ પકડી છે. રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જે અંગે તંત્ર સુરક્ષાના તમામ પગલાં ભરી રહ્યું છે.
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઇને ETV Bharatના મધ્યપ્રદેશ બ્યૂરો ચીફ, વિનોદ તિવારીએ નેશનલ સેન્ટર ફૉર ડિઝીઝ(NCDC)ના ડાયરેક્ટર ડૉ. સુદીપ સિંહ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કોરોના વાઇરસની ભારતમાં સ્થિતિ અંગે જણાવ્યું હતું.
સવાલ:કોરોનાના બીજા તબક્કા વિશે શું કહેશો અને એક વખત ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ?
જવાબ:દેશમાં કોરોના સંક્રમણના કેસ ત્યાં સુધી વધતા રહેશે જ્યાં સુધી લોકો તેને સામાન્ય રીતે લેશે. લોકોનું આ વાઇરસ અંગે બેદરકાર થવું જ આ સંક્રમણ વધવાનું મુખ્ય કારણ છે. આ વાત તમામ લોકોએ યાદ રાખવાની રહેશે કે દેશમાં એક એવું મોટું જૂથ છે કે જે સંક્રમિત થયું નથી. એ વર્ગને કોરોના નથી થયો તો તેમનામાં એ ઇમ્યુનિટી આવી નથી. સાથે જ રસી પણ હજી એટલી જગ્યા સુધી પહોંચી નથી. આપણા 80 ટકા લોકો હજી કોરોના સંક્રમિત થયા નથી. એવામાં લોકો કોરોનાને સામાન્ય રીતે લેશે તો સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે.
સવાલ:કોરોનાના જે વેરિયન્ટ સામે આવ્યો તે અંગે આપ શું કહેશે ?
જવાબ:કોરોનાના નવે વેરિયન્ટ સામે આવી રહ્યાં છે જે પડકારજનક છે. જેનું ઉદાહરણ મહારાષ્ટ્ર અને પંજાબમાં જોવા મળે છે. મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ સેંપલિંગ લેવામાં આવી છે. જેમાં અલગ અલગ વેરિયન્ટ સામે આવ્યા છે. ડૉ. સુદીપે એવું પણ જણાવ્યું હતું કે વેરિયન્ટ કોઇ પણ હોય જો આપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરીશું તો આપણને કશું જ નહીં થાય.
વધુ વાંચો:સાપુતારા ચેકપોસ્ટ પર RT-PCR રિપોર્ટ વગર નો એન્ટ્રી
સવાલ:યુ.કે., બ્રાઝિલ, આફ્રિકન વેરિયંટ પણ સામે આવ્યા છે તે અંગે આપ શું કહેશો?
જવાબ:યુ.કે. વેરિયંટ મધ્યપ્રદેશમાં વધારે જોવા મળ્યો નથી. વાત કરીએ બ્રાઝિલ વેરિયંટની તો અત્યાર સુધીમાં દેશમાં ફક્ત એક કેસ જોવા મળ્યો હતો. તો એ ચિંતાનો વિષય નથી.
સવાલ:મહારાષ્ટ્રના લોકલ વેરિયંટના સમાચાર સામે આવ્યા છે?
જવાબ:મહારાષ્ટ્રમાં લોકલ વેરિયંટ સામે આવ્યો છે જેને ડબલ મ્યૂટેન કહેવાય છે. ડબલ મ્યૂટેન લગભગ 15-20 ટકા આબાદીમાં જોવા મળ્યો છે.
સવાલ:જાન્યુઆરી પછી સંક્રમિતોની સંખ્યા અચાનક વધી છે ?