નવી દિલ્હી: ભારત ગૌરવ યોજના હેઠળ ટ્રેનમાં નવીનતમ ઉમેરો ગરવી ગુજરાત પ્રવાસી ટ્રેન છે. ભારત ગૌરવ ટ્રેનમાં સંપૂર્ણ એરકન્ડિશન્ડ છે. આના તમામ કોચ AC ટાયર 1 અને AC ટાયર 2 છે. આ ટ્રેન ગુજરાતના વિવિધ પ્રવાસન આકર્ષણોને આવરી લેશે. આવો અમે તમને આ ટ્રેન સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો જણાવીએ. આઠ દિવસની યાત્રા પર નીકળેલી આ ટ્રેન દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી રવાના થઈ ચૂકી છે. 2 ટાયર એસીની ટિકિટ 52250 રૂપિયા અને 1 ક્લાસ એસીની ટિકિટ 77400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોટેલમાં સ્ટે આપવાની સાથે ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળની ઝાંખી આ ટ્રેન કરાવશે. 156 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે.
પ્રવાસન સ્થળોઃ ગુજરાતના પ્રવાસન સ્થળની થીમપર તૈયાર કરવામાં આવેલી ટ્રેનમાં દરેક કોચ પર ગુજરાતના પ્રવાસન સ્થળની એક ઝાંખી જોવા મળી હતી. આ ઉપરાંત કલા સ્થાપત્યનો વારસો તેમજ જુદા જુદા સ્થળની પ્રમુખ વસ્તુઓના દર્શન થયા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, દ્વારકા જગતમંદિર અને સોમનાથ જ્યોર્તિલિંગ મંદિરના દર્શન થાય છે.
આ પણ વાંચો:Akasa Air: અકાસા એરએ પણ મોટા પાયે વિમાનો માટે કર્યો ઓર્ડર
ગરવી ગુજરાત ટ્રેન ટૂર પેકેજ: આ મુસાફરી માટે, એસી ટાયર 2 માં એક સીટ માટે યાત્રી માટે રૂ. 52,250 અને એસી ટાયર 1 માં સીટ માટે રૂ. 77,400 નક્કી કરવામાં આવ્યા છે. ટિકિટમાં શાકાહારી ખોરાક, મુસાફરી વીમો, પ્રવાસ માર્ગદર્શિકા, ટ્રેન મુસાફરીનો સમાવેશ થાય છે. આ ટ્રેન વાતાનુકૂલિત હોટેલોમાં રહીને મુસાફરોને ફરવા માટે લઈ જશે. IRCTC વેબસાઇટ પર ભારત ગૌરવ ટ્રેન વિભાગ દ્વારા ટિકિટ બુક કરી શકાય છે.