ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતે કોરોના રસીકરણ મામલે અનેક દેશોને છોડ્યા પાછળ, 75 કરોડ ડોઝના આંકડાને કર્યો પાર - 75 કરોડ ડોઝ

ભારતે કોરોના વેક્સિનેશનના 75 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોવિડ રસીકરણમાં ઝડપ લાવવા માટે ભારતને અભિનંદન આપ્યા છે.

ભારતે કોરોના વેક્સિનેશનના 75 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો
ભારતે કોરોના વેક્સિનેશનના 75 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો

By

Published : Sep 13, 2021, 8:48 PM IST

  • ભારતે કોરોના રસીકરણમાં 75 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અભિનંદન આપ્યા
  • 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું ભારત

નવી દિલ્હી: ભારતે કોરોના વેક્સિનેશનના 75 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. આ ઉપલબ્ધિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'પીએમ મોદીના સૌનો સાથ, સૌનો પ્રયાસ મંત્રની સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સતત નવા પરિમાણો બનાવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્વ એટલે કે આઝાદીના 75 વર્ષમાં 75 કરોડ ડોઝના આંકડાને પાર કરી લેવામાં આવ્યો છે.'

WHOએ આપ્યાં અભિનંદન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોવિડ-19 રસીકરણમાં ઝડપ લાવવા માટે ભારતને અભિનંદન આપ્યા છે. સંગઠને કહ્યું કે, ભારત ફક્ત 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આને મોટી ઉપલબ્ધિ ગણાવી છે.

અનુરાગ ઠાકુરે ગણાવી મોટી ઉપલબ્ધિ

તેમણે કહ્યું કે, "આ એક મોટી ઉપલબ્ધિ છે. હું જનતા, કોરોના યોદ્ધાઓ, રાજ્ય સરકારો અને પીએમનો આભાર વ્યક્ત કરું છું, જેમણે તમામને રસી ઉપલબ્ધ કરાવી. ભારતે પોતાની વસ્તીના રસીકરણમાં અનેક દેશોને પાછળ છોડી દીધા છે."

વધુ વાંચો: શું કોવિડ રસીકરણ પછી હૃદયના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો છે ?

વધુ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28,591 કેસો નોંધાયા

ABOUT THE AUTHOR

...view details