- એક દિવસે 500 દર્દીઓનું ડાયાલિસિસ કરી શકાશે
- આ હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર્સ નહીં હોય
- કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ફંડ દ્વારા ચાલશે હોસ્પિટલ
નવી દિલ્હી: ડાયાલિસિસએ લોહી શુદ્ધિકરણની કૃત્રિમ પદ્ધતિ છે. જ્યારે વ્યક્તિની કિડની, એટલે કે કિડની યોગ્ય રીતે કાર્યરત ન હોય ત્યારે આ ડાયાલિસિસ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. કિડનીના રોગો, ડાયાબિટીસના તીવ્ર દર્દીઓ, હાઈ બ્લડ પ્રેશર જેવી પરિસ્થિતિમાં ડાયાલિસિસની જરૂરિયાત હંમેશાં રહેતી હોય છે. ત્યારે દિલ્હીમાં ભારતની પ્રથમ 100 બેડ ધરાવતી કિડની ડાયાલિસિસ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલ દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા બનાવવામાં આવી છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મંજિન્દરસિંઘ સિરસા હાજર રહ્યા હતા. અહીં કોઈ કેશ કાઉન્ટર નહીં હોય અને આ હોસ્પિટલ એકદમ નિ: શુલ્ક હશે તેવી તેમણે માહિતી આપી હતી.
હોસ્પિટલની તમામ મશીનો જાપાનથી મંગાવાઈ છે
મંજિંદરસિંહ સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં સ્થાપિત મશીનો જાપાનથી આવી છે, આ આધુનિક મશીનો છે. આ ભારતની પ્રથમ હોસ્પિટલ છે જ્યાં કિડની ડાયાલિસિસ માટે 100 બેડ્સ ઉપલબ્ધ છે, અહીં તમામ સુવિધાઓ મફત છે અને કોઈ કેશ કાઉન્ટર્સ નથી. અહિં હોસ્પિટલમાં મફત સારવારની સાથે, ભોજન પણ વિના મૂલ્યે મળશે. ઉપરાંત, જે લોકો આ હોસ્પિટલ ચલાવવામાં ફાળો આપવા માંગે છે અથવા સમુદાય સેવા હેઠળ કોઈ મદદ કરવા ઈચ્છે છે, તો તેમની મદદ અહિં આવકાર્ય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 2006માં સુરતથી જ ઇન્ટરસિટી કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ, આજે સુરત કિડની દાનમાં પ્રથમ
ખેડૂત નેતા રાકેશ ટીકાઈત પણ રહ્યા સમારોહમાં ઉપસ્થિત