તેલંગણા:આવકવેરા વિભાગે મંગળવારે હૈદરાબાદ અને તેની આસપાસ તેલંગાણાના શ્રમ પ્રધાન મલ્લા રેડ્ડી (Telangana Labour Minister Malla Reddy) અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. IT ટીમોએ હૈદરાબાદ અને મેડચલ મલકજગીરી જિલ્લામાં પ્રધાન, તેમના પુત્ર મહેન્દ્ર રેડ્ડી, જમાઈ મેરી રાજશેખર રેડ્ડી અને અન્યના પરિસરમાં દરોડા પાડ્યા (Income Tax raid) હતા.
આવકવેરા વિભાગે તેલંગાણાના શ્રમ પ્રધાન મલ્લા રેડ્ડીના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા - તેલંગાણા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન
આવકવેરા વિભાગે મંગળવારે હૈદરાબાદ અને તેની આસપાસ તેલંગાણાના શ્રમ પ્રધાન મલ્લા રેડ્ડી (Telangana Labour Minister Malla Reddy) અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. IT ટીમોએ હૈદરાબાદ અને મેડચલ મલકજગીરી જિલ્લામાં પ્રધાન, તેમના પુત્ર મહેન્દ્ર રેડ્ડી, જમાઈ મેરી રાજશેખર રેડ્ડી અને અન્યના પરિસરમાં દરોડા પાડ્યા(Income Tax raid ) હતા.

150 થી 170 અધિકારીઓ દરોડામાં સામેલ:આવકવેરા વિભાગની કરચોરી શાખાની લગભગ 50 ટીમોએ મંગળવારે સવારે સર્ચ શરૂ કર્યું હતું, જે કોમ્પાલીના પામ મીડોઝ વિલામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ 150 થી 170 અધિકારીઓ દરોડામાં સામેલ છે. તેમણે કરચોરીના આરોપો બાદ મલ્લા રેડ્ડી જૂથ દ્વારા સંચાલિત સંસ્થાઓના આવકના રેકોર્ડની તપાસ કરી હતી. મલ્લા રેડ્ડી ગ્રૂપ મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ, હોસ્પિટલ અને એન્જિનિયરિંગ કોલેજ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. IT ટીમો સંસ્થાઓના ટોચના અધિકારીઓની ઓફિસો અને રહેઠાણો પર પણ સર્ચ કરી રહી છે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ:રસપ્રદ વાત એ છે કે ITના દરોડા એવા સમયે પડ્યા જ્યારે તેલંગાણા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક ટોચના નેતાઓ સાથે કથિત રીતે જોડાયેલા ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના કેસની તપાસને વધુ તીવ્ર બનાવી છે. ગયા મહિને હૈદરાબાદ નજીકના ફાર્મહાઉસમાંથી ત્રણ કથિત બીજેપી એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના ચાર ધારાસભ્યોને ભાજપમાં સ્વિચ કરવા માટે લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.બે ધાર્મિક નેતાઓ સહિત આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. TRS ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમને ભાજપમાં જોડાવા માટે 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે SITએ ભાજપના મહાસચિવ બીએલ સંતોષ સહિત ચાર લોકોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.