ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horrific road accident in Rajasthan : રાજસ્થાનમાં સર્જાયો ભયંકર અકસ્માત, 6 લોકો મોતને ભેટ્યા અને 11 હોસ્પિટલમાં દાખલ - rajasthan police dausa police

રાજસ્થાનના દૌસા જિલ્લાના મંડવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના નિપજ્યા છે. જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આમાંથી ચાર ઘાયલોને જયપુર રિફર કરવામાં આવ્યા છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 4:30 PM IST

રાજસ્થાન ;માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. ચારને ગંભીર હાલતમાં જયપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે. મંદવારના વીરસણા રોડ પર મુસાફરોથી ભરેલી જીપ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ પછી ટ્રક જીપ પર પલટી ગઈ હતી. જેના કારણે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર લોકો દટાઈ ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ મંદવર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

6 લોકોના મોત નિપજ્યા : મંદવાર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહોને મહવા સીએચસીના શબઘરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં અન્ય 11 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે મહવા સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. અહીંથી ચાર ઘાયલોની ગંભીર હાલતને કારણે તેમને જયપુર રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. કોલ્ડ ડ્રિંક્સ ભરેલી ટ્રક અલવરથી માહવા જઈ રહી હતી. જ્યારે જીપ મહવાથી માંડવર તરફ જઈ રહી હતી. જીપમાં આજુબાજુના ગામોના મુસાફરો સવાર હતા.

ક્રેઈનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો :અકસ્માત એટલો ભયાનક હતો કે, સામસામે અથડાયા બાદ ઠંડા પીણા ભરેલી ટ્રક મુસાફરોથી ભરેલી જીપ પર પલટી ગઈ હતી. જેના કારણે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. પોલીસે જેસીબી અને ક્રેનની મદદથી ટ્રકને હટાવીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. હાલમાં છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

રાહત અને બચાવ કાર્ય શરુ : આ અકસ્માત દરમિયાન સ્થળ પર વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે પોલીસ અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં પરેશાન થયા હતા. અકસ્માતના સમાચાર સાંભળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. માહવા હોસ્પિટલમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હોબાળો મચી ગયો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ માહવા હોસ્પિટલ પહોંચ્યા હોવાના અહેવાલ છે.

CMએ સંવેદના વ્યક્ત કરી : આ ભયાનક અકસ્માતને લઈને સીએમ અશોક ગેહલોતે ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલા સાથે વાત કરીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી અને ઘાયલોની સારવાર માટે નક્કર વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.

  1. Bhavnagar News : " અમારું ઊંધું વળવાનું હતું વળી ગયું હવે એમના બાળબચ્ચાંને સહાય કરો " 6 મૃતકોની વતનમાં અંતિમયાત્રા નીકળી
  2. Rajkot Crime: રાજકોટમાં નિવૃત PSIનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, દુર્ગંધ આવતા પાડોશીઓએ 108ને કરી હતી જાણ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details