ગુજરાત

gujarat

By

Published : Mar 16, 2023, 10:30 PM IST

ETV Bharat / bharat

Helicopter crash in Arunachal Pradesh : અરુણાચલમાં ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું, ભારતીય સેનાના બે પાયલોટ શહીદ

ભારતીય સૈન્ય માટે દુખદ ખબર આવ્યાં છે. ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર અરુણાચલના બોમડિલામાં તૂટી પડ્યું હતું. સવારે બનેલા આ અકસ્માતમાં સેનાના બે પાયલોટના મોત થયા હતા. ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

Helicopter crash in Arunachal Pradesh : અરુણાચલમાં ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું, ભારતીય સેનાના બે પાયલોટના મોત
Helicopter crash in Arunachal Pradesh : અરુણાચલમાં ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું, ભારતીય સેનાના બે પાયલોટના મોત

અરુણાચલ : અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બંને પાયલોટના મોત થયા છે. સૈન્ય અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર તેની નિયમિત ઉડાન પર હતું. આ દરમિયાન અચાનક હેલિકોપ્ટર ગાયબ થઈ ગયું. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં સવારે લગભગ 9.15 વાગ્યે હેલિકોપ્ટરનો રડાર સંપર્ક તૂટી ગયો હતો.

વરિષ્ઠ સૈન્ય અધિકારી સવાર હતાં હેલિકોપ્ટરમાં ક્રૂ મેમ્બર્સ અને પાઇલટ સહિત એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતા. દિરાંગના સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે તેઓએ દિરાંગથી લગભગ 100 કિમી દૂર મંડલા બાજુથી થોડો ધુમાડો જોયો હતો. ધુમાડો જોઈ અરુણાચલ પ્રદેશ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તે પશ્ચિમ વિલમ જિલ્લામાં મંડલેમાં 100 બુદ્ધ સ્તૂપનું સ્થાન છે. સૈન્યની સર્ચ ટીમ પાયલટોને શોધવા માટે મંડલા તરફ રવાના થઈ હતી.

આ પણ વાંચો Surat airport Mock Drill: સુરત એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા લોકોને બચાવવા દોડી ટીમ

મંડલા પાસે અકસ્માતની જાણ થઈ: પીઆરઓ ડિફેન્સ ગુવાહાટી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઓપરેશનલ સોર્ટી ઉડાન ભરી રહેલા આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટરનો ગુરુવારે સવારે 09:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાના અહેવાલ મળ્યા હતા. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે અકસ્માતની જાણ થઈ હતી. તેમણે કહ્યું કે ઘટના બાદ સર્ચ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી.

સવારે બનેલા આ અકસ્માતમાં સેનાના બે પાયલોટના મોત થયા હતા

સેનાનું ચિતા હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું : તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે સેનાનું ચિતા હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આટલું જ નહીં આ અકસ્માતમાં એક પાયલોટ શહીદ થયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં પાયલટ કર્નલ સૌરભ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ બાદમાં તેમનું પણ સારવાર દરમિયાન શહીદ થયા હતા. આ અકસ્માતમાં ક્રૂના અન્ય કેટલાક સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો Aircraft Crash:ક્રેશ થયેલા મિરાજ-2000નું એન્જીન મોરેના જંગલના ખાડામાંથી મળ્યું

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ : પીઆરઓ ડિફેન્સ ગુવાહાટી, અરુણાચલ પ્રદેશ દ્વારા જણાવાયું હતું કે ઓપરેશનલ સોર્ટી પર જ્યારે ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે એક પાઇલટ અને કો-પાયલટ શહીદ થયા છે. પ્લેનનો કાટમાળ મંડલેના પૂર્વમાં બાંગ્લાજાપ ગામ પાસે મળ્યો હતો. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છેઃ

ABOUT THE AUTHOR

...view details