- આજે 25 નવેમ્બરે વર્ષ 2021નો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ
- સોનાના ઘરેણાં, ભૂમિ, ભવન, વાહનો, મિલકતોની ખરીદી કરવા શુભ દિવસ
- સર્વાર્થ, અમૃત સિદ્ધિ અને રવિ યોગથી આ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ વિશેષ બન્યો
ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2021નો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ (guru pushya nakshatra yog) આજે 25 નવેમ્બરે છે. આ દિવસે સોનાના ઘરેણા (Gold Jewelry), ભૂમિ, ભવન, વાહનની સાથે સ્થાવર-જંગમ મિલકતોની ખરીદી માટે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ લગભગ 12 કલાક સુધી રહેશે. આ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગને સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ ખૂબ જ વિશેષ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો-Dwarkadhish Temple માં દિવાળી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
નવા કાર્યનો શુભારંભ કરવાથી સફળતા જરૂર મળે
માન્યતા છે કે, શુભ મુહૂર્તમાં (Shubh Muhurat) ખરીદવામાં આવતી ચીજો કે કોઈ નવા કાર્યનો શુભારંભ કરવા અંગે, તેમાં સફળતા જરૂર મળે છે. શનિવારે એટલે કે શનિના નક્ષત્રમાં જે પણ કામ કરવામાં આવે છે. તે લાંબા સમય સુધી ચાલે છે. માન્યતા છે કે, આ શુભ મુહૂર્તોમાં (Shubh Muhurat) ખરીદવામાં આવતી વસ્તુઓ સુખદાયક હોય છે. આ દિવસે નવા કામોની શરૂઆત કરવી પણ સફળ રહેશે.
ગુરુવારે પુષ્ય નક્ષત્ર યોગ આવવાથી શુભતા વધી જાય છે
જ્યોતિષાચાર્યોના મતે, ભગવાન વિષ્ણુના (Lord Vishnu) આધિપત્યવાળા દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્ર યોગ (Pushya Nakshatra Yog) હોવાથી તેની શુભતા વધી જાય છે. આ સમયે ગુરુ શનિની કુંભ રાશિમાં (Capricorn) છે અને પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. ગુરુ-શનિના આ પરસ્પર સંબંધના કારણે આ ગુરુ પુષ્ય યોગ ખૂબ જ વિશેષ છે.