ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gunfight Breaks Out: સૈન્ય ટુકડી અને આતંકવાદીઓ વચ્ચે અનંતનાગમાં ફાયરિંગ, સર્ચ શરૂ - આતંકવાદીઓ અને સુરક્ષા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંદવાન સાગર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની બાતમી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ગુપ્ત રીતે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Gunfight breaks out in Sagam, Anantnag
Gunfight breaks out in Sagam, Anantnag

By

Published : May 15, 2023, 9:34 AM IST

Updated : May 15, 2023, 11:38 AM IST

અનંતનાગ: થોડા દિવસથી સતત સમાચાર આવી રહ્યા છે કે, દેશની સરહદ પર કંઇક થઇ રહ્યું છે. હવે સુત્રોના જણાવ્યા અનુસારજમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંદવાન સાગર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલું હોવાનું સામે આવ્યું છે. આ સાથે બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની બાતમી પણ મળી છે.

સુરક્ષા દળો વચ્ચે અથડામણ:જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયાના સમાચાર નથી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ એન્કાઉન્ટર જંગલ વિસ્તારમાં થઈ રહ્યું છે. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણામાંથી વાસણો, ધાબળા અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.

આતંકવાદીઓની હાજરીની બાતમી: મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગના અંદવાન સાગર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળી હતી. આના પર પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સંદિગ્ધ સ્થળ તરફ આગળ વધી ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. તેના પર જવાબી કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં એકથી બે આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે.

ગંભીર ચિંતાનો વિષય:તાજેતરમાં જ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીરના એકલા આતંકવાદીની ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં 'એકલો આતંકવાદી' સુરક્ષા દળો માટે સુરક્ષાની દૃષ્ટિએ મોટો પડકાર બની ગયો છે. આમાં, તે સમગ્ર ખીણમાં એક આતંકવાદીની હાજરી વિશે સ્પષ્ટ સંકેત આપે છે.

ગંભીર ચિંતાનો વિષય:આ તમામ સુરક્ષા એજન્સીઓ તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ એક જ આતંકવાદી હુમલો આતંકવાદનો નવો ચહેરો બની ગયો છે. આઈબીના અહેવાલમાં આતંકવાદી હુમલાના એક જ ઉદાહરણ તરીકે ગ્રેનેડ ફેંકવાની ક્રિયાનો ઉલ્લેખ કરાયો હતો. 2022માં આવા મોટા હુમલાઓનું ઉદાહરણ આપતા અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, શ્રીનગર, પુલવામા, ગાંદરબલ, બાંદીપોરા, અવંતીપોરા, શોપિયાં, બડગામ, કુલગામ, બારામુલ્લા, અનંતનાગમાં 27 ઘટનાઓમાં મોટાભાગના કેસોમાં એકલા આતંકવાદીઓ સામેલ હતા.

  1. બર્ફાચ્છાદિત રસ્તા પરથી સૈન્યનું વાહન ખીણમાં લપસ્યું, 3 જવાનો શહીદ
  2. કલમ 370 નાબૂદ થયા બાદ કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે: IG CRPF
  3. જમ્મુ-કાશ્મીર: શોપિંયામાં 4 આતંકી ઠાર
Last Updated : May 15, 2023, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details