ગુજરાત

gujarat

By

Published : Mar 31, 2021, 9:12 AM IST

Updated : Mar 31, 2021, 10:59 AM IST

ETV Bharat / bharat

કળયુગ તો જુઓ: ભાઈ-બહેને કર્યા લગ્ન, પિતાએ જીવતે જીવતા કર્યા દીકરીના અંતિમસંસ્કાર

ચતરાના ટંડવા વિસ્તારના ખરીકા ગામે એક યુવતીએ તેના પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરી લીધા હતાં. યુવતીના પરિવારજનો શોકમાંથી પસાર થયા હતા. પરિવારના દુઃખી સભ્યોએ ગામલોકો સાથે મળીને યુવતીનું પુતળું બનાવી સ્મશાન ઘાટમાં લઈ જઇ અંતિમ સંસ્કાર કર્યો હતો.

ભાઈ-બહેને કર્યા લગ્ન, પિતાએ જીવતે જીવતા કર્યા દીકરીના અંતિમસંસ્કાર
ભાઈ-બહેને કર્યા લગ્ન, પિતાએ જીવતે જીવતા કર્યા દીકરીના અંતિમસંસ્કાર

  • ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો
  • ગામની એક યુવતીએ પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરી લીધા હતાં
  • જીવતી દીકરીનું પુતળુ બનાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

ચતરા:જિલ્લાના ટંડવાના ખારીકા ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કીસ્સો સામે આવ્યો છે. ગામની એક યુવતીએ પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ યુવતીના પરિવારના સભ્યોએ સમાજના લોકો સાથે મળીને તેની જીવતે જીવંત દીકરીનું પુતળુ બનાવીને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટનાથી દુઃખી થયેલા યુવતીના પિતા અને પરિવારે પણ તેની સાથે સંબંધો ખતમ કરવાની વાત કરી હતી. તે જ સમયે, છોકરીની માતા ખરાબ હાલતમાં રડતી જોવા મળી હતી.

કળયુગ તો જુઓ: ભાઈ-બહેને કર્યા લગ્ન, પિતાએ જીવતે જીવતા કર્યા દીકરીના અંતિમસંસ્કાર

આ પણ વાંચો:પુત્રની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખતા પિતાએ કરી જમાઈની હત્યા

પરિવાર પોતાનો ચહેરો બતાવી શકે તેમ નથી

યુવતીના પરિવારજનોનું કહેવું છે કે, પુત્રીના આ કૃત્યથી સમાજમાં તેના માનને ઠેસ પહોંચી છે. જેના કારણે, તે હવે ગામના સમાજમાં પોતાનો ચહેરો બતાવી શકે તેમ નથી. યુવતીના પિતાએ કહ્યું હતું કે, તેના લગ્ન સારા કુટુંબમાં નક્કી કર્યા હતા અને તેની સગાઈ પણ કરવામાં આવી હતી. ખરેખર, ખરીકાના સુખદેવ રામની 25 વર્ષીય પુત્રી સબિતા ઉર્ફે કિરણ કુમારી લકન રામના પુત્ર રાજદીપ કુમાર સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. સંબંધમાં બન્ને પિતરાઇ ભાઈ અને બહેન થાય છે. આ સંબંધને તેમના બન્ને પરિવારોએ સ્વીકાર્યો ન હતો. બન્નેને ઘણું સમજાવ્યું હતું, પરંતુ કોઈની વાતની તેમના પર અસર થઈ નહીં.

આ પણ વાંચો:વડોદરામાં યુવકે સગીરા સાથે મિત્રતા કેળવી બાંધ્યો શારિરિક સંબંધ, સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ

બન્નેના લગ્ન 4 મહિના પહેલા થયાં હતાં

ચાર મહિના પહેલા બન્નેના લગ્ન થયા હતા. ત્યારથી, બન્નેને સમજાવવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ, આ મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યાં, પણ યુવતીએ તેના પતિ (પિતરાઇ) રાજદીપ સાથે જીવવા અને મરણ પામવાનાની વાત કરી હતી. ત્યારબાદ, પરિવારે તેના અંતિમ સંસ્કાર કરીને તમામ સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

Last Updated : Mar 31, 2021, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details