ગુજરાત

gujarat

Giridih Bus Accident : ગિરિડીહ બસ દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બસના નંબર પર સ્કૂટરનો વીમો

By

Published : Aug 7, 2023, 6:13 PM IST

ગિરિડીહ બસ દુર્ઘટનાની તપાસ તેજ થઈ ગઈ છે. જિલ્લા ડેપ્યુટી કમિશનર પોતે આ મામલાની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શનિવારે મોડી સાંજે એક પેસેન્જર બસ બરાકર નદીમાં ખાબકી હતી. અત્યાર સુધીની તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. શું છે તે ખુલાસો, જાણો ETV ભારતના આ અહેવાલમાં...

Giridih Bus Accident
Giridih Bus Accident

ગિરિડીહ : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શનિવારે મોડી સાંજે એક પેસેન્જર બસ બરાકર નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. પ્રશાસને આ અકસ્માતની તપાસ શરૂ કરી હતી. જેમાં એક પછી એક અનેક બાબતો સામે આવી. વાહનની સ્પીડ તો અકસ્માતનું કારણ હતું. પરંતુ આ સાથે એક લાલ રંગની કારને પણ અકસ્માતનું કારણ જણાવવામાં આવ્યું છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનના કાગળોમાં ગડબડ જોવા મળી હતી.

બસ દુર્ઘટનાની તપાસ : આ દુર્ઘટના પછી બાબા સમ્રાટ આલીશાન નામની બસના કાગળો પર સવાલો ઉઠી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ બસનો વીમો સ્કૂટરનો હોવાનું કહેવાય છે. ગિરિડીહ બસ દુર્ઘટના બાદ વાહનના કાગળોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ તપાસમાં હાઇસ્પીડ પાછળ પરમીટના સમયનો મામલો સામે આવ્યો હતો. તો બીજી તરફ બસના વીમા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બસ રજીસ્ટ્રેશન નંબર JH 07H 2906 નો વીમો ઓનલાઈન ચેક કરવામાં આવ્યો. ત્યારે, તેમાં પણ વિસંગતતા જોવા મળી હતી.

ગિરિડીહ બસ દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

બસ નંબર પર સ્કૂટરનો વીમો : આ બસનો વીમા પોલિસી નંબર 1130003123010240021524 છે. પરંતુ જ્યારે તેની ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે આ રજિસ્ટર્ડ નંબર પરનો વીમો ન્યુ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની ટુ વ્હીલર પેકેજ પોલિસી હોવાનું બહાર આવ્યું. આ પોલિસી નંબર સ્કૂટર (બજાજ સ્પિરિટ) ના વીમા પેપરમાં ઉલ્લેખિત છે. આ નંબર પર જારી કરવામાં આવેલી પોલિસી પંકજ કુમારના નામે દેખાઈ રહી છે. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત બસ રાજુ ખાનના નામે છે. ગિરિડીહના ડીસી નમન પ્રિયેશ લકડાને પણ ઓનલાઈનથી મળેલા ઈન્સ્યોરન્સ પેપર્સની માહિતી મળી છે. ડીસીએ આ બાબતે તપાસ શરૂ કરી છે. આ સાથે અધિકારીઓને વીમા સિવાયના અન્ય કાગળોની ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યું છે.

સ્કૂટરના ઈન્સ્યોરન્સ પર બસ ચલાવવી એ ખરેખર ગુનો છે. આથી આ વાહનના અકસ્માતને કારણે ઇજાગ્રસ્તો અને મૃતકોના સ્વજનોને વાહન વીમાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડશે. આ અંગે બસના માલિકને અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.--પ્રવીણ કુમાર (એડવોકેટ)

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ જરૂરી : સામાજિક કાર્યકર પ્રભાકર અને એડવોકેટ પ્રવીણ કુમારે પૈસા માટે કાગળોમાં થયેલી હેરાફેરી વિશે વાત કરી હતી. જેમાં પ્રભાકરે જણાવ્યું કે, તે પોતે મોટર ઈન્સ્યોરન્સનું કામ કરે છે અને અકસ્માત બાદ તેણે ઘણી તપાસ કરી છે. જેમાં અકસ્માતગ્રસ્ત બસનો વીમો સ્કૂટરના નામે હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ તેને ગુનો ગણાવ્યો છે. પ્રભાકરે જણાવ્યું કે, કોઈપણ વાહનનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ જરૂરી છે.

ખોટા વીમો એટલે ગુનો : તેઓએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલી બસ માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ આશરે 60 હજાર આવે છે. આ 60 હજાર બચાવવા માટે ઘણા લોકો આ પ્રકારનો ગુનો કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ વેબસાઈટ ફક્ત વીમા કંપનીના સર્વર સાથે વાહન નંબર, પોલિસી નંબર, માન્યતા અને વીમા કંપનીના નામ સાથે મેળ ખાય છે. તેને વેબસાઈટ પર અપડેટ કરે છે. તેનો લાભ લઈને આ પ્રકારની બનાવટ કરવામાં આવે છે.

  1. Surat Accident News: એક જ ગામના ત્રણ મિત્રો મોતનો કોળિયો બની ગયા, બોલેરો ગાડીએ બાઈકને ફંગોળ્યું
  2. Vadodara Accident News: કરજણ નેશનલ હાઇવે ૪૮ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત, બે વ્યક્તિના મોત

ABOUT THE AUTHOR

...view details