ગુજરાત

gujarat

ફટાકડાની દુકામાં ફેફડા હલાવી નાંખે એવો વિસ્ફોટ, 2 કલાક બાદ આગ પર કાબુ

By

Published : Dec 31, 2022, 4:15 PM IST

તમિલનાડુના નમક્કલ જિલ્લામાં એક મકાનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ ફટાકડાની દુકાનમાં પણ આગ લાગતા ચાર લોકોના મોત (Four persons died tragically in tamilnadu) થયા છે. આ ઉપરાંત ચાર લોકો ઈજાગ્રસ્થ થયા છે.

ફટાકડાની દુકાનમાં આગ લાગતા ચાર લોકોના કરુણ મોત
ફટાકડાની દુકાનમાં આગ લાગતા ચાર લોકોના કરુણ મોત

તમિલનાડુ:તમિલનાડુના નમક્કલ જિલ્લામાં એક મકાનમાં થયેલા વિસ્ફોટમાં ફટાકડાની દુકાનના માલિક અને ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત (Four persons died tragically in tamilnadu) થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્થ થયા છે. તે ઘરમાં કથિત રીતે ફટાકડા રાખવામાં આવ્યા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, સવારે લગભગ 4 વાગ્યે અચાનક વિસ્ફોટ થયો હતો.

બે કલાક બાદઆગ પર કાબુ મેળવાયો: જેમાં મોહનુરમાં એક ઘર અને નજીકના અન્ય કેટલાક મકાનોને નુકસાન થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્થ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ફાયર એન્જિનોએ લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, લાયસન્સ ધારક તિલ્લઈ કુમાર (37)એ પોતાના ઘરમાં ફટાકડા શા માટે રાખ્યા તે સ્પષ્ટ નથી. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં તિલ્લાઇ કુમાર, તેની માતા સેલ્વી (57) અને પત્ની પ્રિયા (27)નું ઘટનાસ્થળે જ મોત (Firecrackers also killed people in the fire) થયું હતું.

વિસ્ફોટ વિદ્યુત શોર્ટ સર્કિટથી થયો: જો કે, કુમારની ચાર વર્ષની પુત્રી ભાગ્યે જ બચી ગઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, કુમારના પડોશમાં રહેતી 70 વર્ષીય મહિલાનું પણ વિસ્ફોટના કારણે મોત થયું હતું. વિસ્ફોટ અથવા મકાનોને નુકસાન થવાને કારણે દાઝી ગયેલા અથવા ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને સારવાર માટે નમકકલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈપણ ષડયંત્રને નકારી કાઢતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ વિદ્યુત શોર્ટ સર્કિટથી થયો (Explosion was caused by electrical short circuit) હતો કે ફટાકડા ફોડવાની મીણબત્તીથી થયો હતો તે જાણવા માટે તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details