ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Virender Sehwag : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વીરેન્દ્ર સેહવાગનો સંદેશ - ODISHA BALASORE COROMANDEL EXPRESS ACCIDENT

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિત પરિવારો માટે ખાસ સંદેશ આપ્યો છે. આ અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ અકસ્માતને લઈને ટ્વિટ કરી રહ્યા છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 3, 2023, 11:07 AM IST

નવી દિલ્હી: દિગ્ગજ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ઓડિશામાં થયેલા દર્દનાક ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સેહવાગે ટ્વિટ કરીને આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. આ સિવાય લગભગ 900 લોકો ઘાયલ થયા છે. આ 900 ઘાયલો હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. એક રીતે, આ લોકો તેમના જીવન માટે જંગ લડી રહ્યા છે.

તમામ પરિવારો પ્રત્યે સંવેદના: વીરેન્દ્ર સેહવાગે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ટ્રેન દુર્ઘટના અંગે એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે લખ્યું છે કે 'ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ સાથે સંકળાયેલા આ દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના'. આ પોસ્ટ દ્વારા સેહવાગે તે શોકગ્રસ્ત પરિવારોનું દુ:ખ શેર કરવાનો પ્રયાસ કર્યો છે.

આ અકસ્માતને ખૂબ જ દર્દનાક ગણાવ્યો છે:આ અકસ્માતમાં અનેક પરિવારોએ તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે. બીજી તરફ 900 જેટલા લોકો જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. ઘાયલ થયેલા લોકો માટે સેહવાગે પણ ભગવાનને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. સેહવાગે આ અકસ્માતને ખૂબ જ દર્દનાક ગણાવ્યો છે, જેણે ઘણા લોકોના જીવન છીનવી લીધા છે.

સૌથી મોટી ચર્ચાનો વિષય: શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં 280 લોકોના મોત થયા છે. 900 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની તીવ્રતા સાથે, ત્રણ ટ્રેનો કેવી રીતે અથડાઈ તે પણ સૌથી મોટી ચર્ચાનો વિષય હતો. પહેલા કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને માલગાડી ટ્રેનના એન્જિન પર ચઢી ગઈ. પછી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ તેની બોગી સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો:

  1. Train Accident Odisha: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલ દુર્ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા
  2. Train Accident Odisha: બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ ક્રેશ, 900 ઘાયલ, 278ના મોત, PMએ ટ્વિટ કર્યું
  3. Train Accident Odisha: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ, અહીં જુઓ સંપુર્ણ યાદી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details