ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં વિનાશક પૂરનો કહેર, બીજા પૂરમાં 73ના લોકોના મોત

આસામમાં પૂરની (Floods In Assam) સ્થિતિ હજુ પણ જટિલ છે. રાજ્યના 35 જિલ્લાઓમાંથી 32 જિલ્લા પ્રભાવિત થયા છે. કુલ 5,424 ગામો 125 મહેસૂલી વર્તુળો હેઠળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં નોંધાયા છે.

By

Published : Jun 21, 2022, 11:33 AM IST

આસામમાં વિનાશક પૂરનો કહેર :બીજા પૂરમાં 73ના લોકોના મોત
આસામમાં વિનાશક પૂરનો કહેર :બીજા પૂરમાં 73ના લોકોના મોત

ગુવાહાટી:આસામમાં પૂરની (Floods In Assam) સ્થિતિ હજુ પણ જટિલ છે. રાજ્યના 35 જિલ્લાઓમાંથી 32 જિલ્લા પ્રભાવિત થયા છે. કુલ 5,4,24 ગામો 125 મહેસૂલી વર્તુળો હેઠળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં નોંધાયા છે.

આસામમાં વિનાશક પૂરનો કહેર :બીજા પૂરમાં 73ના લોકોના મોત

આ પણ વાંચો:Floods In Assam : આસામમાં ફાટ્યું આભ, ચારેકોર તબાહી, 87 લોકોના મોત

પૂરમાં 73 લોકોએ જીવ ગુમાવ્યા :ASDMA અનુસાર, વિનાશક પૂરથી 47,72,140 લોકો પ્રભાવિત થયા છે. બીજા પૂરમાં અત્યાર સુધીમાં 73 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 11 છે. કુલ 33,84,326 પશુઓ પૂરથી પ્રભાવિત થયા છે. કુલ 5,2,32 પશુઓ પૂરમાં ધોવાઈ ગયા છે.

કપિલી નદીએ સર્વોચ્ચ સપાટી વટાવી દીધી : એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સેના, ફાયર બ્રિગેડ વગેરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ રાખી રહ્યા છે. રાજ્યભરના કેમ્પમાં કુલ 23,1819 લોકોએ આશ્રય લીધો છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં કુલ 1,4,25 કેમ્પ બનાવવામાં આવ્યા છે. કુલ 11,34,85.37 હેક્ટર ખેતીની જમીન પૂરથી પ્રભાવિત થઈ છે. બેકી, પાગલડિયા, પુથિમરી, કપિલી અને બ્રહ્મપુત્રા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કપિલી નદીએ સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે

આ પણ વાંચો:આસામ પૂરઃ વધુ 5નાં મોત, લાખો લોકો પ્રભાવિત

મુખ્યપ્રધાન સરમાએ અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો :મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોમવારે પૂર પ્રભાવિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્યપ્રધાનએ તેમને પૂર અસરગ્રસ્તોને પૂરતી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યપ્રધાન શરમાએ એવા સ્થળોએ હેલિકોપ્ટર દ્વારા રાહત વિતરણ કરવાનો આદેશ આપ્યો છે જ્યાં બચાવ ટીમ અથવા રાહત બોટ પહોંચી નથી.

ABOUT THE AUTHOR

...view details