ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓટોમાં લાગી આગ, પાંચ લોકો જીવતા ભૂંજાયા - ઓટોમાં આગ લાગી

આંધ્રપ્રદેશના સત્યસાઈ જિલ્લામાં એક ઓટો (Auto Catches Fire In Andhra Pradesh) ઈલેક્ટ્રીક વાયરની લપેટમાં આવી જતાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકો ખાખ થઇ ગયા હતા. વાહનમાં કુલ 13 લોકો સવાર હતા જેમાંથી 8ની હાલત ગંભીર છે.

ઓટોમાં લાગી આગ, પાંચ લોકો જીવતા દાઝીને થયા ખાખ
ઓટોમાં લાગી આગ, પાંચ લોકો જીવતા દાઝીને થયા ખાખ

By

Published : Jun 30, 2022, 3:02 PM IST

અમરાવતી (આંધ્રપ્રદેશ):આગ લાગવાની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે આવી જ એક ઘટના આંધ્રપ્રદેશના સત્યસાઈ જિલ્લામાં સામે આવી છે. ઓટો (Auto Catches Fire In Andhra Pradesh) ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં પાંચ લોકો જીવતા દાઝીને ખાખ થયા હતા. ઓટોમાં સવાર તમામ લોકો ગુડ્ડમપલ્લીથી ચિલાકોન્ડાઈપલ્લી જઈ રહ્યા હતા. ઘટના સમયે ઓટોમાં ડ્રાઈવર સહિત 13 લોકો સવાર હતા. અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઓટોમાં લાગી આગ, પાંચ લોકો જીવતા દાઝીને થયા ખાખ

આ પણ વાંચો:જાલોરના સાંચોરમાં વિસ્ફોટ, એકનું મોત અને એક ઈજાગ્રસ્ત

અકસ્માતમાં 5 લોકો દાઝીને ખાખ થયા : આ અકસ્માતમાં ડ્રાઈવર પોથુલૈયા ઉપરાંત અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે ઓટોને બાજુ પર ફેરવી દીધી હતી અને તેને રેક્ઝીન કવરથી ઢાંકી દેવામાં આવી હતી, જેના કારણે આગ તરત જ કાબૂમાં આવી હતી. જેના કારણે કેટલાક લોકો નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોએ અન્ય લોકોને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને તેમાં સફળતા મળી નહીં. અકસ્માતમાં મૃત્યુ પામેલી તમામ મહિલાઓનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલી તમામ છે મહિલાઓ : મૃતકોની ઓળખ ગુડ્ડમપલ્લી અને પેદ્દાકોટલા ગ્રામીણ તરીકે થઈ છે. તેમાં કંથમ્મા, રામુલમ્મા, રત્નમ્મા, લક્ષ્મીદેવી (ગુડમપલ્લી) અને પેડ્ડાકોટલાની કુમારીનો સમાવેશ થાય છે. મૃતદેહોને ધર્માવરમ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ફેક્ટરીના ગોદામમાં લાગી ભિષણ આગ, મોટી સંખ્યામાં લોકો અંદર ફસાયાની આશંકા

ABOUT THE AUTHOR

...view details