- વિકાસપૂરીમાં આવેલા નર્સિંગ હોમમાં અચાનક આગ લાગી
- નર્સિંગ હોમમાં રાત્રે 11 વાગ્યે આગ લાગી હતી
- ફાયર વિભાગની 8 ગાડી આગ ઓલવવા પહોંચી હતી
નવી દિલ્હીઃ વિકાસપુરીમાં આવેલા એક નર્સિંગ હોમમાં મંગળવારે રાત્રે અચાનક જ આગ લાગી હતી. જોકે, આ નર્સિંગ હોમમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ફાયર વિભાગે તમામ 26 કોરોનાના દર્દીઓને બચાવી લીધા હતા.
આ પણ વાંચોઃજામનગરમાં ઉનાળામાં કેટલી જગ્યાએ લાગી આગ અને આગ લાગવાનું કારણ કયું ?
ફાયર વિભાગે તમામ દર્દીઓનો જીવ બચાવ્યો
ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, યુકે નર્સિંગ હોમમાં રાત્રે 11 વાગ્યે આગ લાગી હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક તરફ ફાયર વિભાગના કર્મચારીઓએ આગ બૂઝાવી તો બીજી તરફ દર્દીઓને હેમખેમ બચાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃબારડોલીમાં દવાના ગોડાઉનમાં લાગી આગ, દવા અને કોમ્પ્યુટર બળીને ખાખ
આગ લાગવાનું કારણ અકબંધ
આ અંગે મળતી માહિતી અનુસાર, નર્સિંગ હોમમાં કુલ 26 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી 17 કોરોનાના દર્દી હતા. ફાયર વિભાગે સમયસર પહોંચીને તમામ દર્દીઓને બચાવી લીધા હતા. ત્યારબાદ આગ પર પણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.