- ગીચ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ
- ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને દર્દીઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
- રેસ્ક્યૂ કરાયેલા દર્દીઓમાં કોરોના સંક્રમિત દર્દીઓનો પણ સમાવેશ
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગના બનાવમાં કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 90 જેટલા દર્દીઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.
આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી