- સુપ્રિમ કોર્ટે FIR મામલે મહત્વનો ચુકાદો આપ્યો
- FIR કોઈ ડીક્ષનરી નથી કે જે ગુના અંગેના તમામ તથ્યો અને વિગતોને જાહેર કરે : સુપ્રિમ કોર્ટ
- કોર્ટે FIRના આક્ષેપોની યોગ્યતા પર આગળ વધવું જોઈએ નહીં
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું કે, FIR કોઈ ડીક્ષનરી નથી કે જે ગુના અંગેના તમામ તથ્યો અને વિગતોને જાહેર કરે. જ્યારે પોલીસ તપાસ કરી રહી હોય, ત્યારે કોર્ટે આક્ષેપોની યોગ્યતામાં ન આવવું જોઈએ.
પોલીસને તપાસ પૂરી કરવાની છૂટ મળવી જોઈએ : સુપ્રીમ કોર્ટ
કોર્ટે જણાવ્યું કે, પોલીસને તપાસ પૂરી કરવાની છૂટ મળવી જોઈએ. ઉચ્ચ અદાલતોએ સમજી લેવું જોઈએ કે, ન્યાયના ગુનાહિત વહીવટ માટે ઝડપી તપાસની જરૂર પડે છે. તેમણે પ્રારંભિક તબક્કે ગુનાહિત કાર્યવાહીમાં દખલ ન કરવી જોઈએ. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે ટિપ્પણી કરી હતી કે, તેમણે ઉચ્ચ અદાલતો દ્વારા પસાર થયેલા ઘણા આદેશોનું અવલોકન કર્યું છે. જેમાં તપાસ દરમિયાન ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરવાના નિર્દેશો આપ્યા હતા.
આ પણ વાંચો :દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત કોરોના સંક્રમિત થયા, ટ્વીટ કરીને માહિતી આપી
જ્યારે પોલીસ તપાસ ચાલી રહી હોય, ત્યારે કોર્ટે FIRના આરોપોની યોગ્યતા પર આગળ વધવું જોઈએ નહીં