ગુજરાત

gujarat

By

Published : May 24, 2021, 9:02 AM IST

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ FIR નોંધાઇ

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના દ્વારા કોરોનાને ઇંડિયન વેરિયંટ જણાવાના નિવેદનમાં રાજનીતિમાં ગરમાહો આવ્કયો છે. ભાજપના પ્રતિનિધિમંડળએ આ બાબતે કેસ નોંધવાની માંગ કરી હતી. કમલનાથ વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ

  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ વિરુદ્ધ FIR નોંધવામાં આવી
  • ભોપાલની ક્રાઇમ બ્રાંચમાં કલમ 188 હેઠળ FIR નોંધવામાં આવી
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી બગાડવાનો પ્રયાસ કર્યો

ભોપાલ (મધ્યપ્રદેશ) : દિવસભર લાગેલા આરોપો અને પ્રતિ-આરોપો પછી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પૂર્વ મુખ્યપ્રધાન વિરુદ્ધ ભોપાલની ક્રાઇમ બ્રાંચમાં કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કમલનાથ વિરુદ્ધ કોરોના વિશે ભ્રામક માહિતી ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. બપોરે ભાજપના નેતાઓ પોલીસ મથકે ગયા અને અરજી કરી હતી. આ સિવાય ભાજપના નેતાઓએ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોમાં જઇને કમલનાથ વિરૂદ્ધ FIR નોંધાવવા માટે અરજી આપી હતી.

કમલનાથના નિવેદનો અંગે ફરિયાદ નોંધાવી

મધ્યપ્રદેશ ભાજપનું એક પ્રતિનિધિ મંડળ રવિવારે બપોરે ભોપાલના ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે કમલનાથના નિવેદનો અંગે ફરિયાદ નોંધાવી હતી. અરજી માટે પહોંચેલા પ્રધાન વિશ્વાસ સારંગે કહ્યું હતું કે, કોરોના વિશે ભારતીય પ્રકારો આપવા અંગે નિવેદન આપીને કમલનાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી બગાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ધારાસભ્યોની બેઠકમાં રાજ્યમાં અરાજકતા ફેલાવવાની ચર્ચા થઈ છે. આ બન્ને કેસોમાં ભાજપના નેતાઓએ પોલીસ સ્ટેશનમાં FIRની માંગણી કરી હતી.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ વિરુદ્ધ COVID-19 ધારાના ભંગ બદલ FIR દાખલ

પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ દ્વારા એક પ્રેસ નોટ પણ બહાર પાડવામાં આવી

ભાજપ પર હુમલો થયા પછી પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ દ્વારા એક પ્રેસ નોટ પણ બહાર પાડવામાં આવી હતી. આમા કમલનાથે રાજ્ય સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, કટોકટીના સમયમાં અમે સરકારને ટેકો આપ્યો છે. પરંતુ અમારી જવાબદારી રાજ્યના લોકો પ્રત્યે પણ છે. અમે તેમને મૃત રાખી શકીએ નહિ, આપણે સરકારના જૂઠાણાને ટક્કર આપી શકતા નથી. અમે જનહિત માટે લડતા રહીશું. સરકારના ખોટા આક્ષેપોની અમને કોઈ પરવા નથી. અમે સરકારની કોઈપણ FIRથી ડરવાના નથી.

દુર્ઘટનામાંથી બહાર કાઢવા માટે રાત-દિવસ સંઘર્ષ કરી રહ્યા

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ કમલનાથના ટ્વીટ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મુખ્યપરધાન શિવરાજે કમલનાથના આ નિવેદન પર જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો તમારામાં હિંમત છે તો, પછી સ્મશાનનો રેકોર્ડ જાહેર કરો. મુખ્યપ્રધાનેએ હુમલો કરતાં કમલનાથને કહ્યું હતું કે, 'તમે મુખ્યપ્રધાન રહી ચૂક્યા છો અને તમે કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છો, તો પછી આ પ્રકારનું વર્તન કેમ ? મુખ્યપ્રધાને જણાવ્યું કે, અમે લોકોને આ દુર્ઘટનામાંથી બહાર કાઢવા માટે રાત-દિવસ સંઘર્ષ કરી રહ્યા છીએ. પરંતુ તમે સંકટમાં રાજકારણની તક શોધી રહ્યા છો.

બીજી લહેરને ભારતીય કોરોના તરીકે ઓળખાવવી શરમજનક

કોરોનાનેે ઇંડિયન વોરિયંટ કહેવાવાળા કમલનાથના નિવેદન પર ભાજપના ન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુંં કે, કમલનાથની મહામારીની બીજી લહેરને ભારતીય કોરોના તરીકે ઓળખાવવી શરમજનક છે. કોંગ્રેસ હવે અયોગ્ય રાજકારણ પર ઉતરી આવી છે.

ઈન્દોરમાં કમલનાથ પર પ્રતિબંધ મુકવાની માંગ

કમલનાથના નિવેદન પર ભાજપના દરેક જિલ્લામાં FIRની માંગ માટે અરજી કરાઇ હતી. ઈન્દોરમાં આવેદન આપવા પહોંચેલા ભાજપના શહેર અધ્યક્ષ ગૌરવ રાણાદિવે તો કમલનાથ પર ઈન્દોર આવવાના પ્રતિબંધની માંગ પણ કરી હતી. ગૌરવ રાણાદિવે જણાવ્યુંં કે, આવા નિવેદનો આપનારા પર ઈન્દોરમાં પ્રતિબંધ હોવો જોઇએ. તેમને ઈન્દોર આવવા દેવા જોઈએ નહીં.

ABOUT THE AUTHOR

...view details