ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો - laxmi reddy

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં એક ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત સરકારી અધિકારીઓથી નારાજ હતો, તેથી તેણે જંતુનાશક દવા પીને મરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પહેલા તેણે એક સેલ્ફી વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પોતાની વ્યથા સંભળાવી છે.

આંધ્રપ્રદેશ: ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, વીડિયોમાં પોતાનું દુખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશ: ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, વીડિયોમાં પોતાનું દુખ વ્યક્ત કર્યું

By

Published : Mar 29, 2021, 8:43 PM IST

  • ખેડૂત કૃષ્ણૈયાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
  • લક્ષ્મી રેડ્ડીના ખેતરની બાજુમાં ખેડૂત કૃષ્ણૈયાનું એક ફાર્મ છે
  • ખેડૂત દ્વારા બનાવાયેલો વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું

અમરાવતી: આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક ખેડૂતે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મામલો ધર્મવરમ મંડળના મુચિરામી ગામનો છે. મળતી માહિતી મુજબ ગામના લક્ષ્મી રેડ્ડીના ખેતરની બાજુમાં ખેડૂત કૃષ્ણૈયાનું એક ફાર્મ છે. બન્ને વચ્ચે 2 વર્ષથી ખેતરો અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે કૃષ્ણૈયાએ આ મામલો હાઇકોર્ટમાં લીધો હતો, જ્યારે કોઈ સમાધાન ન આવ્યું ત્યારે ખેડૂત કૃષ્ણૈયાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃલીલા દુકાળનો ભોગ બનેલાં મોડાસાના ખેડૂતે જીવન ટૂંકાવ્યું

લક્ષ્મી રેડ્ડીએ પોતાના ખેતરમાંથી મૌસંબીના ઝાડનો નાશ કર્યો હતો

કૃષ્ણૈયાએ વીડિયોમાં કહ્યું હતું કે, કોર્ટમાં કેસ થયા બાદ પોલીસે તેને ફરીથી બોલાવવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, પોલીસ વિવિધ પ્રશ્નો ઉભા કરીને તેને માનસિક ત્રાસ આપતી હતી. કૃષ્ણૈયાએ આરોપ લગાવ્યો છે કે લક્ષ્મી રેડ્ડીએ તેના ખેતરમાંથી મૌસંબીના ઝાડનો નાશ કર્યો હતો. તેણે પોલીસના કહેવા પર આ કર્યું હતું.

ખેડૂતની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી

વીડિયોમાં કૃષ્ણૈયાએ એમ પણ કહ્યું હતું કે તેમને દરેક પગલા પર અપમાન કર્યા સિવાય આ સરકાર તરફથી કંઇ મળ્યું નથી. આ વાતથી કંટાળીને તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. આ ક્ષેત્રમાં વીડિયો બનાવ્યા બાદ તેણે જંતુનાશક દવા પીધી અને ત્યાં પડી ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ તેમને અનંતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ખેડૂતની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ સાથે જ આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં હંગામો મચી ગયો હતો. ખેડૂત દ્વારા બનાવાયેલો વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃલોકડાઉનને કારણે આર્થિક નુકસાન થતાં અમદાવાદના ખેડૂતે કર્યો આપઘાત

ABOUT THE AUTHOR

...view details