ગુજરાત

gujarat

Solapur News: પાંચસો કિલો ડુંગળી વેચી અને મળ્યા માત્ર 2 રૂપિયા, ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી

By

Published : Feb 23, 2023, 6:12 PM IST

સોલાપુરમાં બાર્શીના ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચવ્હાણે સોલાપુર માર્કેટ યાર્ડમાં લગભગ પાંચસો કિલો ડુંગળી વેચી હતી. માર્કેટયાર્ડના વેપારી સૂર્યા ટ્રેડર્સે ખેડૂતને બે રૂપિયાનો ચેક આપ્યો છે. જેને લઈને ખેડૂતે મુંબઈમાં મંત્રાલય સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે.

Solapur News:
Solapur News:

સોલાપુર: જિલ્લાના બાર્શીના ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચવ્હાણે 17 ફેબ્રુઆરી, 2023ના રોજ સોલાપુર માર્કેટ યાર્ડમાં લગભગ પાંચસો કિલો ડુંગળીનું વેચાણ કર્યું હતું. ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતને 1 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો છે. કારના ભાડા, હમાલી, તોલાઈના પૈસા બાદ કર્યા બાદ માત્ર બે રૂપિયા બચ્યા હતા. માર્કેટયાર્ડમાં વેપારી સૂર્યા ટ્રેડર્સે બે રૂપિયાનો ચેક આપી ખેડૂતની મજાક ઉડાવી હતી.

પાંચસો કિલો ડુંગળી વેચી અને મળ્યા માત્ર 2 રૂપિયા

આત્મવિલોપનની ચીમકી: ખેડૂતને આપવામાં આવેલ સ્ટ્રીપ અને ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સ્વાભિમાની શેતકર સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂત રાજેન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે સખત મહેનત કરીને અમારે પાકમાંથી આવક મળવાની હતી અને આ રીતે ભાવ ઘટવાથી જો અમને ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે મુંબઈમાં મંત્રાલયની સામે આત્મવિલોપન કરીશું તેવી ચેતવણી આપી છે.

માર્કેટયાર્ડના વેપારી સૂર્યા ટ્રેડર્સે ખેડૂતને બે રૂપિયાનો ચેક આપ્યો

રાજુ શેટ્ટીનું ટ્વીટઃશાસકોને શરમ આવે, હવે કહો ખેડૂતોએ કેવી રીતે જીવવું? એક તરફ બાકીદારોના કારણે ખેડૂતોના વીજ કનેકશન કપાયા છે. તેમની નજર સમક્ષ પાક કાપવામાં આવે છે. રાજેન્દ્ર ચવ્હાણને સોલાપુર માર્કેટ કમિટીમાં 10 બોરી ડુંગળી વેચીને કેટલા પૈસા મળ્યા. જુઓ બે રૂપિયાનો ચેક આપતા બેશરમ વેપારીને કેવી શરમ ન આવી.

ખેડૂતે મુંબઈમાં મંત્રાલય સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે.

આ પણ વાંચો:Bhavnagar news: ડુંગળીના ભાવ તળિયે જતા ભાજપના જ કિસાન મોરચાએ સીએમને લખ્યો પત્ર

અર્બન કોઓપરેટીવ બેંકનો બે રૂપિયાનો ચેક:ખેડૂત રાજેન્દ્ર ચવ્હાણે માહિતી આપતા કહ્યું કે 17 ફેબ્રુઆરીના રોજ સોલાપુર કૃષિ પેદાશ બજાર સમિતિમાં કુલ 10 બોરી ડુંગળી વેચાણ માટે લાવવામાં આવી હતી. જેમાં 8 બોરીનું વજન 402 કિલો હતું જ્યારે 2 બોરીનું વજન 110 કિલો હતું. ડુંગળીના ભાવ ઘટીને રૂપિયા 100 પ્રતિ ક્વિન્ટલ થયા છે. 512 કુલ રકમ થાય. જેમાંથી હમાલી, તોલાઈ, મોટર ભાડું મળીને કુલ રૂપિયા 509નો ખર્ચ થયો હતો. જ્યારે 512 રૂપિયામાંથી 509 રૂપિયા બાદ કરવામાં આવે તો માત્ર 2 રૂપિયા જ બચે છે. ખેડૂત રાજેન્દ્ર ચવ્હાણના નામે સોશિયલ અર્બન કોઓપરેટીવ બેંકનો બે રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ચેકની તારીખ 8 માર્ચ, 2023 છે.

આ પણ વાંચો:Bhavnagar Marking Yard: મહુવાના ખેડૂતોની મહેનત પાણીમાં, ડુંગળીના ભાવ તળીયે

ડુંગળીના ભાવમાં ઘટાડોઃસોલાપુર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં સૂર્યા ટ્રેડર્સના માલિક નસીર ખલીફાએ ફોન પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડુંગળીનો ભારે ધસારો થયો છે. તેથી ભાવ ઘટ્યા છે. પરંતુ સારી ગુણવત્તાવાળી ડુંગળી હજુ પણ સારા ભાવ આપે છે. 17 ફેબ્રુઆરીએ પણ સારી ગુણવત્તાવાળી ડુંગળીને સારા ભાવ મળ્યા હતા. ડુંગળીના વિવિધ પ્રકારો છે, કેટલીક ખરાબ ડુંગળી છે. ખરાબ ડુંગળીના ભાવ ઓછા મળે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details