ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે રસીના સ્ટોક અને માર્ગદર્શિકા અંગે કરી ટિપ્પણી - માર્ગદર્શિકા

સરકારના રસીકરણ અભિયાન પર સવાલ ઉઠાવતા સુરેશ જાધવે કહ્યું કે, અમે લક્ષ્ય સુધી પહોંચતા પહેલા કેન્દ્ર સરકારે 45 વર્ષથી ઉપરના લોકો તેમજ 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ કર્યું હતું. જ્યારે સરકારને ખબર છે કે તેમની પાસે રસીનો આટલો સ્ટોક નથી.

કોરોના વાઈરસની બાજી લહેર ખતરનાક સાબિત થઈ
કોરોના વાઈરસની બાજી લહેર ખતરનાક સાબિત થઈ

By

Published : May 22, 2021, 12:06 PM IST

  • કોરોના વાઈરસની બાજી લહેર ખતરનાક સાબિત થઈ
  • ડિરેક્ટર સુરેશ જાધવે રસીના સ્ટોક અને માર્ગદર્શિકા અંગે કરી ટિપ્પણી
  • દેશના ઘણા ભાગોમાં રસીની અછત

મુંબઇ: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર એકદમ જીવલેણ સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં લોકોને ચેપથી બચાવવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે.

કેન્દ્રની મોદી સરકારે રસીકરણ અભિયાનમાં ભારે કાળજી લીધી

પુણેની રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે કોરોના વાઈરસ માટે રસીકરણ અભિયાન અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે રસીકરણ અભિયાનમાં ભારે કાળજી લીધી હતી. સુરેશ જાધવે કહ્યું કે આ અભિયાનના વિસ્તરણ દરમિયાન સરકારે રસીનો ઉપલબ્ધ સ્ટોક અને વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે દેશના ઘણા ભાગોમાં રસીની અછત જોવા મળી રહી છે.

આ પણ વાંચો:ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ UKમાં 24 મિલિયન ડોલરનું કરશે રોકાણ

શરૂઆતમાં 300 મિલિયન લોકોને રસી અપાઈ

એક કાર્યક્રમમાં સુરેશ જાધવે કહ્યું કે, ભારતની મોદી સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાનમાં લોકોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે કહ્યું કે આ અભિયાનની શરૂઆતમાં 300 મિલિયન લોકોને રસી આપવામાં આવી હતી. જેને આશરે 600 મિલિયન ડોઝની જરૂર છે.

સુરેશ જાધવે સવાલ ઉઠાવ્યા

સરકારના રસીકરણ અભિયાન પર સવાલ ઉઠાવતા સુરેશ જાધવે કહ્યું કે, અમે લક્ષ્ય સુધી પહોંચતા પહેલા કેન્દ્ર સરકારે 45 વર્ષથી ઉપરના લોકો તેમજ 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ કર્યું હતું. જ્યારે સરકારને ખબર છે કે તેમની પાસે રસીનો આટલો સ્ટોક નથી.

આ પણ વાંચો: પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગ કાબુમાંઃ ઉદ્ધવ ઠાકરે

લોકોએ જાગૃત રહેવાની જરૂર

તેમણે કહ્યું કે, તેણે અમને શીખવ્યું છે કે આપણે ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવી જોઈએ અને તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. જાધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રસીકરણ બાદ પણ લોકોને ચેપ લાગી રહ્યો છે, તેથી લોકોએ જાગૃત રહેવાની જરૂર છે.

રસીકરણ પછી પણ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details