નવી દિલ્હી: એસ્ટેટ ડિરેક્ટોરેટે મહુવા મોઈત્રાને તે સરકારી બંગલાને તાત્કાલીક ખાલી કરવાનું કહ્યું છે જે સરકાર દ્વારા સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ભેટ સ્વીકારવા અને સંસદની વેબસાઇટનું યુઝર આઈડી અને પાસવર્ડ તેમની સાથે શેર કરવા બદલ મોઈત્રાને દોષીત ઠેરવવામાં આવ્યાં હતાં. કેશ ફોર ક્વેરી અંતર્ગત ગત વર્ષે 8 ડિસેમ્બરે મોઈત્રાને સાસંદ પદેથી બરતરફ કરવામાં આવ્યાં હતાં. એક સુત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, મંગળવારે મોઈત્રાને સરકારી બંગલો ખાલી કરાવવાની નોટિસ જારી કરવામાં આવી હોવાથી, એસ્ટેટ ડિરેક્ટોરેટના અધિકારીઓની એક ટીમ ખાતરી કરશે કે, સરકારી બંગલો શક્ય તેટલી વહેલી તકે ખાલી કરવામાં આવે.
મોઈત્રાને સરકારી બંગલો ખાલી કરવા તાકીદ: ગત વર્ષે 8 ડિસેમ્બરે લોકસભામાંથી બરતરફ કરવામાં આવેલા ટીએમસી નેતાને અગાઉ તેમની 7 જાન્યુઆરી સુધીમાં સરકારી આવાસ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. 8 જાન્યુઆરીના રોજ, DOE એ ત્રણ દિવસમાં જવાબ માંગતી નોટિસ જારી કરી. તેણે પોતાનું સરકારી આવાસ કેમ ખાલી ન કર્યું? 12 જાન્યુઆરીએ તેમને બીજી નોટિસ પણ આપવામાં આવી હતી.