નવી દિલ્હી:કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ 2022 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય વીમા (ESI scheme implemented across the country ) યોજના ESI લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) યોજના 443 જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે અને 153 જિલ્લામાં આંશિક રીતે (ESI scheme) અમલમાં છે. કુલ 148 જિલ્લાઓ ESI યોજનાના દાયરામાં નથી. શ્રમ અને રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી ESICની 188મી બેઠકમાં દેશભરમાં તબીબી સુવિધા અને સેવા પુરવઠા પ્રણાલીનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં આ વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં ESI યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન, હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી
ડિસ્પેન્સરી કમ બ્રાન્ચ ઓફિસો: શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં તમામ જિલ્લાઓ (esi scheme related news) જે આંશિક રીતે ESI યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને હજુ સુધી તે હેઠળ આવરી લેવામાં આવ્યા નથી તેમને આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે. નવી ડિસ્પેન્સરી કમ બ્રાન્ચ ઓફિસો (DCBOs) સ્થાપીને આરોગ્ય સુવિધા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ નિવેદનમાં જણાવાયું છે. આ સિવાય ESIC એ દેશભરમાં 23 નવી 100 પથારીની હોસ્પિટલો ખોલવાનો પણ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:મોદી સરકારની "બદલાની રાજનીતિ" સામે કૉંગ્રેસનો હવે નવી રીતે વિરોધ
ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ:તેમાંથી મહારાષ્ટ્રમાં છ, હરિયાણામાં ચાર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં બે-બે હોસ્પિટલો સ્થાપવામાં આવશે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એક-એક હોસ્પિટલ ખોલવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ દવાખાના પણ ખોલવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હોસ્પિટલો અને દવાખાનાઓ વીમાધારક કર્મચારીઓ અને તેમના આશ્રિતોને વધુ સારી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ હશે.