ગુજરાત

gujarat

Commander killed in encounter: જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર, લશ્કર-એ-તૈયબાના કમાન્ડરનું મોત

By

Published : Apr 9, 2022, 2:29 PM IST

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સિરહામા (Encounter in JKs Anantnag) વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક કમાન્ડર માર્યો (Commander killed in encounter) ગયો છે, જો કે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ચાલી રહેલા બીજા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી કોઈ આતંકવાદી નથી માર્યા ગયા.

Encounter starts in JKs Anantnag: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડરનું મોત
Encounter starts in JKs Anantnag: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડરનું મોત

શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર):દક્ષિણ કાશ્મીરના અનંતનાગ (Encounter in JKs Anantnag) જિલ્લાના સિરહામા વિસ્તારમાં (Sirhama area of Anantnag district) સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબા (Lashkar e Taiba commander killed)નો એક કમાન્ડર માર્યો ગયો છે. જો કે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બીજા એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી માર્યો ગયો નથી. J&K પોલીસે જણાવ્યું હતું કે, "પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો છે, તેની ઓળખ નિસાર ડાર તરીકે થઈ છે. વધુ વિગતોનું અનુસરણ કરવામાં આવશે અને શોધ ચાલુ છે. જો કે, કુલગામના એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી માર્યો ગયો નથી.

આ પણ વાંચો:ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ

સર્ચ ઓપરેશન શરૂ: અગાઉના દિવસે, પોલીસે અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરની માહિતી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતુ કે, "આતંકવાદીઓની હાજરી અંગેની વિશ્વસનીય માહિતીના આધારે પોલીસ, આર્મીની 3 RR અને CRPFની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું."

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર:પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો. સુરક્ષા દળો જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા તે સ્થળે પહોંચ્યા ત્યારે તેઓ ભારે ગોળીબાર થયો જેના કારણે અથડામણ શરૂ થઈ.

આ પણ વાંચો:આસારામ બાપુના આશ્રમ પરિસરમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યો કિશોરીનો મૃતદેહ

અધિકારીએ જણાવ્યું કે, "જેવી જ દળોની ટીમ શંકાસ્પદ સ્થળ પર પહોંચી કે તરત જ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં અથડામણ થઈ," અને તેમણે કહ્યું કે, સાવચેતીના પગલા તરીકે જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ પણ બંધ કરી (internet snapped for precautionary measures) દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આ દરમિયાન, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના ચકીસમદ ખાતે બીજું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details