ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Dog Temple: અનોખુ ગામ, જ્યાં દેવી-દેવતા પહેલા શ્વાનની થાય છે પૂજા - Dog Temple Karnataka

કર્ણાટકના રામનગર જિલ્લામાં એક એવુ મંદિર આવેલું છે જ્યાં શ્વાનની પૂજા કરવામાં આવી રહી છે. ગામના લોકો દેવી દેવીઓના બદલે શ્વાનને પવિત્ર માની રહ્યા છે. આ મંદિરનું પણ ખાસ મહત્ત્વ છે. એટલું જ નહીં સમગ્ર જિલ્લામાં આ મંદિર પણ જાણીતું છે.

Dog Temple: અનોખુ ગામ, જ્યાં દેવી-દેવતા પહેલા શ્વાનની થાય છે પૂજા
Dog Temple: અનોખુ ગામ, જ્યાં દેવી-દેવતા પહેલા શ્વાનની થાય છે પૂજા

By

Published : Jul 23, 2023, 8:59 AM IST

રામનગરઃમંદિર તૈયાર કરવું અને એમાં પૂજા અર્ચના કરવી એ આમ તો સામાન્ય વાત છે. પણ કર્ણાટકના રામનગર જિલ્લામાં ચન્નાપટ્ટા તાલુકામાં અગ્રહારા વલાગેરેહલ્લી ગામમાં એક એવું મંદિર બનાવવામાં આવ્યું છે. જે સામાન્ય મંદિર જેવું નથી. કારણ કે અહીં બીજા કોઈ દેવી દેવાતની નહીં પણ શ્વાનની પૂજા કરવામાં આવે છે. ગામના લોકો આ શ્વાન પર શ્રદ્ધા રાખીને દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહીં દેવી દેવતાઓની પૂજા કરતા રહેલા આ શ્વાનની પૂજા કરે છે. આ મંદિરમાં દરરોજ શ્વાનની પૂજા કરવામાં આવે છે.

આવું પણ બનેઃઆ ગામના લોકો પોતાના ઢોરની સુરક્ષા કરવા માટે શ્વાન પાળે છે. ગામવાસીઓની એવી એક માન્યતા છે કે, ઘણા વર્ષો પહેલા આ ગામમાં પશુ ચરાવવા માટે લોકો આવતા હતા. પણ પશુ સાથે શ્વાન અચાનક ગાયબ થઈ જતા હતા. શ્વાન ગાયબ થઈ જતા ગામના લોકોએ દેવી વીરમસ્તી કેમ્પમ્માની પૂજા કરી હતી. જેને શક્તિની દેવી માનવામાં આવે છે. જે ખૂબ શક્તિશાળી હોવાનું મનાય છે. પછી દેવીએ કહ્યું હતું કે, જંગલમાં કમ્પમ્મા મંદિરને દ્વારપાળની જરરીયાત છે. આ રીતે દેવાના આદેશનું પાલન કરવામાં આવ્યું હતું.

શ્વાન માટે મંદિરઃદેવીના આદેશ પર શ્વાન માટે મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. બે શ્વાનની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. પછી મંદિરનું નિર્માણ થયું. આસરના પથ્થરથી મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. મંદિર બનાવવામાં આવ્યું હતું. ગામના લોકો આજે પણ એવું માને છે કે, આ ગામની સુરક્ષા આ બે શ્વાન કરી રહ્યા છે. ગામના લોકોને નજર લાગવાથી બચાવે છે. ગામના લોકો ભગવાનની પૂજા કરતા પહેલા આ શ્વાનની પૂજા કરી રહ્યા છે. ગામના દરેક લોકોને આ શ્વાન પર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. આને દુલર્ભ શ્વાન મંદિર માનવામાં આવે છે. આવું મંદિર આખા કર્ણાટક રાજ્યમાં ક્યાંય નથી. મહાનગરમાં પણ નથી.

મનોકામના પૂરીઃગામના લોકો એવું માને છે કે, જો કોઈ આ શ્વાન પાસે પોતાની મનોકામના રજૂ કરે છે તો એ મનોકામના પૂરી થાય છે.એટલું જ નહીં આ વાતને ધ્યાને લઈને ગામમાં એક જાત્રા મહોત્સવ એટલે કે મેળાનું આયોજન કરાય છે. જેમાં આસપાસના જિલ્લાઓમાંથી પણ અનેક લોકો ભાગ લે છે. ભાવિકો અહીં પહેલા શ્વાનની પૂજા કરે છે. દર્શન કરે છે અને પછી બીજા કામની શરૂઆત કરે છે. શ્વાનના દર્શન કર્યા બાદ દેવી વીરમસ્તિ કેમ્પમ્માના દર્શન કરે છે. એટલું જ નહીં શ્વાનને આ ગામમાં તમામ પ્રાથમિકતા અપાઈ રહી છે.

  1. Banaskantha News : ડીસામાં ઉત્તર ગુજરાતનું એકમાત્ર આવેલું છે દશામાનું મંદિર, જાણો તેની આસ્થા વિશે
  2. Kutch News: ભુજના સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિને હૈયાનાં હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details