બાલાસોર: કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શનિવારે બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ઓડિશા ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા કેટલાકને દાખલ કરવામાં આવ્યા છે.
17 ડબ્બા ડી-રેલ થઈ ગયા: શુક્રવારે સાંજે બનેલી બે પેસેન્જર અને એક માલસામાન ટ્રેનને સંડોવતા ત્રણ-માર્ગીય અકસ્માતને પગલે પ્રધાન પશ્ચિમ બંગાળમાં કોલકાતાની તેમની મુલાકાત ટૂંકી કરી અને ઓડિશા પહોંચ્યા. આ અકસ્માતમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ અલગ-અલગ ટ્રેક પર હતી. આ બંને ટ્રેનોના 17 ડબ્બા ડી-રેલ થઈ ગયા છે અને ભારે નુકસાન થયું છે.
લગભગ 900 લોકો ઘાયલ: આ પહેલા આજે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેઓ બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યા હતા. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે વિગતવાર ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને રેલ સુરક્ષા કમિશનર પણ સ્વતંત્ર તપાસ કરશે. ઓડિશા સરકારે આજે એક દિવસનો શોક જાહેર કર્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના પ્રારંભિક અહેવાલ મુજબ, લગભગ 900 લોકો ઘાયલ થયા છે.
24 ફાયર સર્વિસ અને ઇમરજન્સી યુનિટ્સ: સાત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમો, પાંચ ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) યુનિટ્સ અને 24 ફાયર સર્વિસ અને ઇમરજન્સી યુનિટ્સ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ભારતીય વાયુસેના (IAF) એ મૃતકો અને ઘાયલોને બહાર કાઢવા માટે Mi-17 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. ઈસ્ટર્ન કમાન્ડ અનુસાર, IAF સિવિલ એડમિનિસ્ટ્રેશન અને ભારતીય રેલ્વે સાથે બચાવ પ્રયાસોનું સંકલન કરી રહ્યું છે.
- Odisha train accident: પીડિતોને તમામ શક્ય મદદ કરવામાં આવશે, રાજનેતાઓએ રેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
- Odisha Train Accident: CM પટનાયકે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
- PM Narendra Modi: રેલ દુર્ઘટના બાદ મોદી ઓડિશા જશે, અકસ્માત સ્થળે જઈ સમીક્ષા કરશે