મહારાષ્ટ્ર: એક મહિના પહેલા ચાકનમાં રસોઈયાની હત્યાના (Dhaba owner killed cook in Maharastra) સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાદ્યપદાર્થોમાં મીઠું ન હોવાને કારણે ઢાબા માલિકોએ તેમના રસોઈયાને મારી નાખ્યા (Dhaba owner killed cook for lack of salt in food) હતા, જે બાદ હવે ક્રાઈમ બ્રાંચની ટીમે બે ભાઈઓની ધરપકડ કરી છે. માર્યા ગયેલા રસોઈયાની ઓળખ પ્રસેનજીત ગોરાઈ તરીકે થઈ હતી.
ભોજનમાં મીઠું ન હોવાને કારણે ઢાબા માલિકએ કરી રસોઈયાની હત્યા - મીઠું ન હોવાને કારણે માલિકે રસોઈયાની હત્યા કરી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના પુણેમાં ગયા મહિને એક વ્યક્તિની હત્યાના કેસમાં (Dhaba owner killed cook in Maharastra) બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક ધાબામાં રસોઈયો હતો અને ઢાબા માલિકોએ ભોજનમાં મીઠું ન હોવાને કારણે રસોઈયાની હત્યા કરી હતી.
![ભોજનમાં મીઠું ન હોવાને કારણે ઢાબા માલિકએ કરી રસોઈયાની હત્યા ભોજનમાં મીઠું ન હોવાને કારણે ઢાબા માલિકએ કરી રસોઈયાની હત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17162606-thumbnail-3x2-cook.jpg)
ખાવામાં મીઠું ન હોવાને કારણે કરી હત્યા: તે જ સમયે, આરોપીઓની ઓળખ ઢાબા માલિક કૈલાસ અન્ના કેન્દ્ર અને ઓમકાર અન્ના કેન્દ્ર તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો ઢાબા ચાકણ-શિકરાપુર રોડ પર ઓમકાર ધાબાના નામે આવેલો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખાવામાં મીઠું ન હોવાને કારણે ઢાબા માલિક કૈલાસ અને ઓંકારે રસોઈયા પ્રસેનજીતને બેરહેમીથી માર માર્યો (Owner killed the cook for lack of salt in Ahmadabad) હતો.
મૃતદેહ નદીમાં ફેંક્યો: આ મામલે ચાકણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, પ્રસેનજીતની હત્યા કરવામાં આવી છે. આરોપી કૈલાસ અને ઓંકરે પ્રેસનજીતની હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો.
TAGGED:
Dhaba owner killed cook