- કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે મહારાષ્ટ્ર સરકારે કડક વલણ અપનાવ્યું
- મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઓફિસ દ્વારા 3 પેજની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી
- પહેલા અને બીજા તબક્કમાં આપેલી ઘણી છૂટ પરત લેવામાં આવી
મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ(Delta Plus Variant)ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઓફિસ દ્વારા 3 પેજની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શુક્રવારના રોજ પોતાની 5 સ્તરીય અનલોક યોજના હેઠળ ઘણા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, પહેલા અને બીજા તબક્કમાં આપેલી ઘણી છૂટ પરત લેવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન
- શોપિંગ મોલ અને સિનેમાઘરો બંધ રહેશે.
- 50 ટકા બેઠત ક્ષમતા સાથે સાંજના 4 કલાક સુધી રેસ્ટોરા ખોલી શકાશે
- લોકલ ટ્રેનમાં મહિલાઓ પર પ્રતિબંધ રહેશે
- જાહેર સ્થળો પર ચાલવા અને સાઇકલ ચલાવવા માટે ખુલ્લા મેદાનો સવારના 5 થી 9 કલાક સુધી ખુલ્લા રહેશે.
- સરકારી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફ જ હાજર રહી શકશે
- લગ્નમાં 50 અને અંતિમક્રિયામાં માત્ર 20 લોકો જ જોડાઇ શકશે
ભીડભાડવાળા કાર્યો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ રહેશે
સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી રેટ માટે હવે માત્ર RT-PCR રિપોર્ટ જ માન્ય રાખવાનો વિચાર મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ભીડભાડવાળા કાર્યો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ રહેશે. આ સાથે જિલ્લામાં છૂટછાટ આપવાની પ્રક્રિયા 2 અઠવાડિયાના કોરોના સંક્રમણના આંકડાને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
મહારાષ્ટ્રના 7 જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધુ
ગુરુવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જિલ્લાના કલેક્ટરને કોરોના ત્રીજી લહેર અંગે પૂર્વતૈયારીઓ કરવા માટેના નિર્દેશો આપ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પ્રતિબંધોને હળવી કરવામાં કોઈ ઉતાવળ ન થવી જોઈએ અને કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બેદરકારી દાખવવી ન જોઈએ. રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધુ નોંધાયા છે.