ગુજરાત

gujarat

By

Published : Feb 23, 2021, 9:00 PM IST

ETV Bharat / bharat

26 જાન્યુઆરીના હિંસાના કેસમાં દીપ સિદ્ધુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

દીપ સિંદ્ધુએ 26 જાન્યુઆરીના હિંસા કેસમાં 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

દીપ સિદ્ધુ
દીપ સિદ્ધુ

  • દીપ સિંદ્ધુનો 26 જાન્યુઆરીના દિવસે યોજાયેલી ટ્રૈક્ટર રેલી કેસ
  • ખેડૂતોને ઉકસાવવા અને ભડકાવવા વાળી પોસ્ટ અપલોડ કરવાનો આરોપ
  • દીપ સિંદ્ધુ ઉપર એક લાખ રુપિયાનું ઇનામ જાહેર કર્યું હતું

નવી દિલ્હી : દિલ્હીની એક કોર્ટમાં દીપ સિંદ્ધુને ગણતંત્ર દિવસે લાલ કિલ્લા પર થયેલી હિંસામાં સંડોવાયેલ હોવાના કેસમાં કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. જણાવી દેવામાં આવે કે, દીપ સિંદ્ધુ 26 જાન્યુઆરીના દિવસે યોજાયેલી ટ્રૈક્ટર રેલીમાં ખેડૂત આંદોલનમાં ખેડૂતોને ઉકસાવવા અને ભડકાવવા વાળી પોસ્ટ અપલોડ કરવાનો આરોપ લાગેલો છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ 9 ફેબ્રુઆરીએ ધરપકડ કરી

લાલ કિલ્લા હિંસા કેસમાં ફરાર દીપ સિંદ્ધુને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 9 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. તેની ધરપકડ પર એક લાખ રુપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ગણતંત્ર દિવસે દિલ્હીના અલગ-અલગ એરિયામાં હિંસા થઇ હતી. આ દરમિયાન લાલ કિલ્લા ઉપર મોટી હિંસા થઇ હતી. જ્યાં પંજાબના રહેવાવાળા દીપ સિંદ્ધુને ફેસબુક ઉપર લાઇવ કરતા જોવા મળ્યો હતો.

સમર્થકોની સાથે ઇંડિયા ગેટ જવા માંગતો હતો

પોલીસની પૂછપરછમાં આરોપી દીપ સિંદ્ધુએ ખુલાસો કર્યો હતો કે, લાલ કિલ્લાના પછી તે પોતાના સમર્થકોની સાથે ઇંડિયા ગેટ જવા માંગતો હતો. પરંતુ બળવો વધ્યા પછી ITO સહિત અન્ય જગ્યાઓ પર સુરક્ષા બળોને વધારી દેવાને કારણ તે લાલ કિલ્લાથી પાછો ફરી ગયો.

ABOUT THE AUTHOR

...view details