ગુજરાત

gujarat

By

Published : Sep 26, 2021, 7:01 PM IST

Updated : Sep 26, 2021, 10:56 PM IST

ETV Bharat / bharat

Cyclone Gulab: ઓડિશામાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, રાત્રે 2 વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે

ચક્રવાત ગુલાબ આજે રવિવારે મોડીરાત્રે આંધ્રપ્રદેશના શ્રીકૌલમના દરિયાકાંઠે ટકરાશે. ચક્રવાતના કારણે પડી રહેલા સતત વરસાદ અને ભારે પવનના કારણે ઓડિશાના ગજાપતિ જિલ્લાના ગુમ્મા બ્લોકમાં ભૂસ્ખલનની ઘટના પણ બની છે. વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ઓડિશામાં ભારે પવન સાથે ચક્રવાતના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી. મોડીરાત્રે 2 કલાકે ચક્રવાત આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Cyclone Gulab
Cyclone Gulab

  • ચક્રવાત ગુલાબ આજે રવિવારે મોડીરાત્રે આંધ્રપ્રદેશના શ્રીકૌલમના દરિયાકાંઠે ટકરાશે
  • ઓડિશાના 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો
  • 6 ODRAFની અને 2 NDRFની ટિમો સ્ટેન્ડ બાય પર રખાઇ

ભુવનેશ્વર: IMDના જણાવ્યા પ્રમાણે, ચક્રવાત ગુલાબ આજે રવિવારે મોડીરાત્રે આંધ્રપ્રદેશના શ્રીકૌલમના દરિયાકાંઠે ટકરાશે. હાલમાં તે ઓડિશાથી 125 કિલોમીટર અને આંધ્રપ્રદેશના કલિંગાપટનમથી 160 કિલોમીટર દૂર છે. હાલમાં આ બન્ને સ્થળોએ 75થી 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ચક્રવાતના કારણે પડી રહેલા સતત વરસાદ અને ભારે પવનના કારણે ઓડિશાના ગજાપતિ જિલ્લાના ગુમ્મા બ્લોકમાં ભૂસ્ખલનની ઘટના પણ બની છે. તંત્ર દ્વારા તેના આસપાસના વિસ્તારોમાંથી 1600 લોકોનું રેસ્ક્યૂ કરીને સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઓડિશામાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ

તળેટીના વિસ્તારોમાં રહેતા 1600 લોકોનું રેસ્ક્યૂ કરાયું

ઓડિશાના ગજાપુરી જિલ્લા પહાડી તેમજ તળેટીના વિસ્તારોમાં રહેતા 1600 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચક્રવાતની અસરોને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા 6 ODRAFની અને 2 NDRFની ટિમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. દરિયો તોફાની થવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે સોમવારે ઓડિશાના 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન સાથે કરી વાતચીત

વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન સાથે કરી વાતચીત

ગુલાબ ચક્રવાતના પગલે વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાતચીતમાં તેમણે ચક્રવાતથી ઓડિશાના સંભવિત નુક્સાનગ્રસ્ત વિસ્તારો અંગે જાણકારી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની બાંહેધરી આપી હતી.

સતત વરસાદ અને ભારે પવન

રાત્રે 2 વાગ્યે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે

હાલમાં ગુલાબ ચક્રવાત દરિયાકાંઠાથી 25 કિલોમીટર દૂર છે. જે રાત્રે 2 વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં આંધ્રપ્રદેશ તેમજ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરેરાશ 25થી 30 કિલોમીટરની ઝડપે વરસાદ વરસી રહ્યો છે. જોકે, તંત્ર દ્વારા હજુ સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ગજાપતિ જિલ્લાના ગુમ્મા બ્લોકમાં ભૂસ્ખલનની ઘટના પણ બની

ઓડિશાના 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ

ઓડિશાના ગજાપતિ જિલ્લામાં આજે સાંજથી શરૂ થયેલા ભૂસ્ખલનના કારણે મોડીરાત સુધી લોકોના સ્થળાંતરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ઓડિશા સરકાર દ્વારા 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને સગર્ભા સ્ત્રીઓ, 600 દિવ્યાંગો સહિત કુલ 16 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્થળાંતરની પ્રક્રિયામાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો-હિંદ મહાસાગરમાં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ શાહીન, ગુલાબ અને અગ્નિ

આ પણ વાંચો-Cyclone Gulab : ઓરીસ્સા અને આંધ્ર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું

Last Updated : Sep 26, 2021, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details