ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP News: મોરને ખાવાથી મગરનું મોત, ચાંચ-પીંછા ગળામાં ફસાઈ ગયા - कासगंज में मगरमच्छ की मौत

ગુરૂવારે એક મગરને મોરને કોળિયો બનવવાનું મોંઘુ પડ્યું હતું. મોરની ચાંચ અને પીંછા તેના ગળામાં ફસાઈ ગયા, જેના કારણે તેનું મૃત્યુ થયું. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિશંકર શુક્લાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મગરના પેટ અને ગળામાં મોરના પીંછા અને ચાંચ ફસાયેલી જોવા મળી હતી. ( Crocodile dies after eating peacock in Kasganj)

crocodile-dies-after-eating-peacock-in-kasganj-up-news-in-hindi
crocodile-dies-after-eating-peacock-in-kasganj-up-news-in-hindi

By

Published : Feb 17, 2023, 10:37 AM IST

કાસગંજ:ઉત્તરપ્રદેશના કાસગંજના નાદરાઈ વિસ્તારમાં હજારા કેનાલ પાસે કેનાલના કિનારે એક મગર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. બીજી તરફ કેનાલના કિનારે મગર મૃત હાલતમાં પડ્યો હોવાની સ્થાનિક લોકોએ પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. જ્યાં માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

પ્રાથમિક તારણ:વન વિભાગની ટીમના જણાવ્યા અનુસાર મગરનું મોત મોરને ખાવાથી થયું હતું, કારણ કે મગરના ગળા અને પેટમાં મોરના પીંછા અને ચાંચ મળી આવી હતી. કાસગંજમાં મોરને ખાધા બાદ મગરના મોતના મામલામાં ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિશંકર શુક્લાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મગરના પેટ અને ગળામાં મોરના પીંછા અને ચાંચ ફસાયેલી મળી આવી હતી.

આ પણ વાંચોEarthquake in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપના આંચકા

શું બની ઘટના?: કાસગંજના નાદરાઈ વિસ્તારમાં હજારા કેનાલ અને વિશ્વ પ્રસિદ્ધ નાદરાઈ પુલ છે. નાદરાઈના પુલની આસપાસ દરરોજ સેંકડો લોકો દર્શન કરવા આવે છે. ગુરુવારે પણ લોકો રખડતા હતા કે અચાનક તેમની નજર હજારા કેનાલના કિનારે પડેલા એક મગર પર પડી. મગરને જોઈને લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો દોડવા લાગ્યા હતા. હજારા કેનાલમાં મગર હોવા અંગે લોકોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરી હતી. આ પછી ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિશંકર શુક્લા સ્ટાફ અને મગર પકડવાના સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે મગરનું મૃત્યુ હતું.

આ પણ વાંચોPassport Portal Hacked: ગાઝિયાબાદના એન્જિનિયરે પત્નીને પ્રભાવિત કરવા પાસપોર્ટ વેરિફિકેશન સિસ્ટમ હેક કરી

શ્વાસ રૂંધાવાથી મગરનું મૃત્યુ: મગરનું પોસ્ટમોર્ટમ કરવા માટે વેટરનરી વિભાગના પોસ્ટમોર્ટમ યુનિટને બોલાવવામાં આવ્યું હતું. સ્થળ પર ડોક્ટરોની ટીમે મગરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. માહિતી આપતાં ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિશંકર શુક્લાએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ દરમિયાન મગરના પેટ અને ગળામાં મોરના પીંછા અને ચાંચ ફસાયેલી જોવા મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે મોરના આ અવશેષો ગળામાં ફસાઈ જવાના કારણે શ્વાસ રૂંધાવાથી મગરનું મૃત્યુ થયું છે.

ABOUT THE AUTHOR

...view details