ગુજરાત

gujarat

ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે

By

Published : May 3, 2021, 10:17 AM IST

Updated : May 3, 2021, 11:24 AM IST

ગોરખપુરના સાંસદ રવિ કિશનની પહેલ રંગ લાવી રહી છે. તેમણે આરોગ્ય પ્રધાનને ગોરખપુર એઇમ્સમાં કોવિડ વોર્ડ શરૂ કરવા પત્ર લખ્યો હતો. તેમની માગને આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. હવે કોવિડ વોર્ડ ટૂંક સમયમાં એઇમ્સ ગોરખપુરમાં શરૂ થશે.

ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે
ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે

  • એક અઠવાડિયામાં કોવિડ-19 વોર્ડમાં કામગીરી શરૂ થવાની સંભાવના છે
  • 18 થી 45 વર્ષની વયના લોકોના રસીકરણ માટે શનિવારે એઇમ્સમાં કાઉન્ટર શરૂ કરાયું
  • એઈમ્સ કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે

ગોરખપુર: કોવિડ-19 મહામારી વચ્ચે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ગોરખપુરમાં પણ ખૂબ જ જલ્દી 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે. સાંસદ રવિ કિશને વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને કોવિડ વોર્ડ બનાવવા અને એઈમ્સમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પત્ર લખ્યો હતો. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એઇમ્સમાં 30 બેડના કોવિડ વોર્ડની રજૂઆત પર મંજૂરી આપી દીધી છે. એક અઠવાડિયામાં કોવિડ-19 વોર્ડમાં કામગીરી શરૂ થવાની સંભાવના છે.

ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે

આ પણ વાંચોઃવાંસદા કોટેજ હોસ્પિટલના નવી બિલ્ડીંગમાં 60 ઓક્સિજન બેડની સુવિધા શરૂ

વેક્સિનેશન કાઉન્ટરનું થયું ઉદ્ઘાટન

18 થી 45 વર્ષની વયના લોકોના રસીકરણ માટે શનિવારે એઇમ્સમાં કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન સાંસદ રવિ કિશન દ્વારા કરાયું હતું. આ સમય દરમિયાન આંતરિક વ્યવસ્થા જોઇને તેને લાગ્યું કે અહીં પણ કોવિડ વોર્ડ હોવો જોઈએ. મહામારી વચ્ચે નાની-નાની વ્યવસ્થાઓથી પણ લડી શકાય છે. આ પ્રસંગે સાંસદે એઇમ્સના ડિરેક્ટર ડો.સુરેખા કિશોર અને બાબા રાઘવદાસ મેડિકલ કોલેજના આચાર્ય ડો.ગણેશકુમાર સાથે એઇમ્સ કેમ્પસમાં સુવિધાઓની સમીક્ષા કરી હતી.

એઈમ્સ કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે

સાંસદ રવિ કિશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને એક પત્ર લખીને એઇમ્સ કેમ્પસમાં કોવિડ વોર્ડ શરૂ કરવા અને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો વિચાર કરવા જણાવ્યું હતું. હાલમાં, કોવિડ વોર્ડ શરૂ કરવાની તેમની અપીલને સ્વીકારવામાં આવી છે. આશા છે કે, બહુ જલ્દીથી એઈમ્સ કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ હાલમાં લોકોને ઓક્સિજન પૂરો પાડશે, પરંતુ ભવિષ્યમાં એઈમ્સની જરૂરિયાતને પહોંચી વળવા પણ સક્ષમ બનશે.

આ પણ વાંચોઃપોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

રવિ કિશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે,આ વૈશ્વિક મહામારીમાં કોરોનાના દર્દીઓને રાહત આપવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એઈમ્સમાં 30 બેડવાળા વોર્ડ માટે ભલામણ કરી હતી, તેનાથી દર્દીઓને ઘણી રાહત મળશે. તેમણે કહ્યું હતું કે, 30 બેડવાળા વોર્ડ સાથે અહિં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સંસાધનોની ઉપલબ્ધતા સાથે એઇમ્સ કેમ્પસ આ મહામારીમાં પોતાનો મોટો ફાળો આપી શકે છે.

Last Updated : May 3, 2021, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details